SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૮૧. ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કેટલા પ્રકારે છે ? ઉ. : છ. (૧) અનુગામિ અવધિજ્ઞાન (૨) અનનુગામિ અવધિજ્ઞાન (૩) વર્ધમાન અવધિજ્ઞાન (૪) હીયમાન અવધિજ્ઞાન (૫) પ્રતિપાતિ અવધિજ્ઞાન અને (૬) અપ્રતિપાતી અવધિજ્ઞાન. પ્ર. ૧૮૨. અનુગામિ અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉં. : પુરૂષને ચારે બાજુથી જે સાથે જાય છે. સાથે જવાના સ્વભાવવાળું જે જ્ઞાન તે અનુગામિ, દેશાંતર જતા એવા જ્ઞાનીની સાથે જે જાય છે તે અનુગામિ અવધિજ્ઞાન કહેવાય છે. જે પેદા થયા પછી સાથે જાય (લોચનની) આંખની જેમ. પ્ર. ૧૮૩. અનુગામિ અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: જે અવધિજ્ઞાન જે દેશમાં પેદા થયા પછી જ્ઞાનીની સાથે દેશાંતરમાં જે ન જાય પણ તે દેશમાં જ રહે અથતિ જ્યાં પેદા થયેલ હોય તેનાથી બીજા દેશમાં સાથે ન રહે તે અનનુગામિ અવધિજ્ઞાન કહેવાય છે. બંધાયેલ દીપકની જેમ, જે ઓરડામાં દીવો હોય તે બીજા ઓરડામાં પ્રકાશ ન કરી શકે તે રીતે. પ્ર. ૧૮૪. વર્ધમાન અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે અંગુલના અસંખ્યાતમા ભાગના વિષયોને જોવાનું શરૂ કરી (ઉત્પન્ન થઈ) વૃદ્ધિ પામતાં પામતાં લોક કરતાં આગળ અલોકમાં લોક જેવડાં અસંખ્યાતા ટૂકડાઓને જે જોઈ શકે જાણી શકે તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ જે અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા રૂપી દ્રવ્યનું જ્ઞાન કરતાં કરતાં અલોકમાં અસંખ્યાતા લોક જેવડા ટૂકડાઓને જોઈ શકવાની તાકાતવાળું આ અવધિજ્ઞાન હોય છે. પ્ર. ૧૮૫. હીયમાન અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: અવધિજ્ઞાન પેદા થયા પછી ક્ષયોપશમ ભાવની મંદતાના કારણે ક્રમસર ધીરે ધીરે ઘટવા માંડે અને હીન હીનતર રૂપે થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય પ્ર. ૧૮૬. પ્રતિપાતી અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉં. : અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી એકદમ સંપૂર્ણ નાશ થઈ જાય. દીવો સળગાવેલ હોય અને પવનથી નાશ પામી જાય તેની જેમ જે જ્ઞાનમાં થાય તે પ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૮૭. અપ્રતિપાતી અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે અવધિજ્ઞાન પેદા થયા પછી નાશ ન પામે એટલે એ ભવ સુધી કાયમ રહે તે સંપૂર્ણ લોકને જુએ અને અલોકના એક પ્રદેશને પણ જોઈ શકે છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy