SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે તે જ શ્રવણમૃગમ) કે હર હર કહે છે ॥अथ प्रथमं व्याख्यानम् ॥ प्रणम्य श्री महावीरं, केवलज्ञानभास्करम्। कल्पसूत्रस्य सद्बाला-वलोधः किञ्चिदस्यते ॥१॥ કેવલજ્ઞાનથી પદાર્થોનો પ્રકાશ કરવામાં સૂર્ય સમાન શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને કલ્પસૂત્રનો સુંદર કાંઈક બાલાવબોધ કહીએ છીએ ૧| ચોમાસું રહેલા સાધુ સંગલિકને માટે પાંચ દિવસ શ્રી કલ્પસૂત્ર વાંચે. કલ્પ એટલે સાધુનો આચાર, સાધુનો આચાર દસ પ્રકારે છે. તે આ પ્રમાણે-અચેલક કલ્પ' , ઉદેશિક કલ્પ, શય્યાતર કલ્પ, રાજપિંડ કલ્પ’, કૃતિકર્મકલ્પ, વ્રતકલ્પ, જયેષ્ઠ કલ્પ, પ્રતિક્રમણ કલ્પ, માસ કલ્પ અને પર્યુષણ કલ્પ૦ દસે કલ્પની વિસ્તારથી સમજણ ૧. અચેલક કલ્પને વસ્ત્ર રહિતપણું. તીર્થકરાશ્રિત અચેલક કલ્પ- તીર્થકરો જ્યારે દીક્ષા લે છે ત્યારે ઇન્દ્ર એક દેવદૂષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે, તે દેવદૂષ્ય જ્યાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સચેલક કહેવાય, પણ જ્યારે તે વસ્ત્ર જાય ત્યારે અચેલક કહેવાય. - સાધુ આશ્રિત અચેલક કલ્પ- પહેલાં તીર્થંકર શ્રી ઋષભદેવ અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સાધ શ્રેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્ર રાખે છે, તેથી તેઓ વસ્ત્ર રહિત હોવાથી તેમને અચેલક કલ્પ છે. શ્રી અજીતનાથ પ્રમુખ વચલા બાવીશ જિનના કોઈ-કોઈ સાધુ બહુમૂલ્યવાળા અને ભિન્ન-ભિન્ન વર્ણવાળાં વસ્ત્રો રાખે છે, તથા કોઈ-કોઈ સાધુ શ્વેત અને પરિમાણવાળાં વસ્ત્રો રાખે છે, તેથી તેઓને અચેલક કલ્પ અનિશ્ચિત છે. પહેલા અને છેલ્લા જિનના સાધુઓ શ્વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્રો રાખે છે. તેથી તેમને તો અચેલક કલ્પ નિશ્ચિત છે. અહીં કોઈ શંકા કરે કે- “પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે, છતાં તેમને અચેલક કેમ કહેવાય?” તેનો ઉત્તર એ છે કે –તેમનાં વસ્ત્રો જીર્ણપ્રાય અને અલ્પ મૂલ્યવાળાં હોય છે, તેથી અચેલક એટલે વસ્ત્રરહિત જ કહેવાય છે, કારણ કે, તુચ્છ અને જીર્ણપ્રાય વસ્ત્રો રહેતાં લોકોમાં અવસ્ત્રપણું પ્રસિદ્ધ રીતે કહેવાય છે. જેમ કોઈ પંચીઉં પહેરીને નદી ઉતર્યા હોય, તેઓ કહે છે કે “અમે તો નગ્ન થઈને નદી ઉતર્યા.વળી લોકો પાસે કપડાં હોય છે, પણ તે તુચ્છ પ્રાય હોય તો ધોબી દરજી અથવા વણકર ને કહે છે કે “અમોને અમારાં કપડાં આપ, અમે કપડાં વિનાના બેઠા છીએ. એવી રીતે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને વસ્ત્રો હોવા છતાં અચલકપણું કહ્યું છે. ૧. ૨. ઉદેશિક એટલે આધાર્મિક - કોઈ સાધુને નિમિત્તે અથવા સાધુના કોઈ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે બનાવ્યું હોય, તે પહેલા અને છેલ જિનના સાધુઓને કોઈને પણ ન કહ્યું. શ્રી અજીતનાથ પ્રમુખ બાવીશ જિનને વારે તો, તે સાધુ અથવા સાધુ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે કર્યું હોય તે આહાર પાણીપ વિગેરે તે સાધુ અથવા સાધુ સમુદાય ને ન કહ્યું, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાય ને તો કલ્પ ૨. ૩. શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાનો માલીક તેનો આહાર' પાણી ખાદિમ સ્વાદિમ વસ્ત્ર પાત્ર કંબલ ૭ ઓઘો સોયઅસ્તરો નેરણી અને કાનખોતરણી ૧૨ એ બાર પ્રકારનો પિંડ સર્વ તીર્થકરોના વારામાં સર્વ સાધુઓને કલ્પ નહીં કારણ કે-શયાતર જો રાગી થાય તો આહાર વિગેરેની સાધુ માટે જોગવાઈ રાખે, અને તેથી આહારાદિ અસૂઝતો મળે. વળી સારો આહાર મળે તો સાધુ તે ઘર ન છોડે. તથા લોકોમાં એમ ઠસી જાય કે- સાધુને જે રહેવાની જગ્યા આપે તેજ આહાર પાણી વિગેરે આપે, તે ભયથી કોઈ ઉતરવાની જગ્યા ન આપે, ઇત્યાદિ દોષનો સંભવ છે. તેથી સાધુને શય્યાતરનો બાર પ્રકારનો પિંડ ન કલ્પ. એ બાર પ્રકારનો પિંડ ન લેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy