________________
પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા રહે વિનંતિ કરતા પણ દેખાય છે. પુસ્તકોની નકલ કરાવવી અને યોગ્ય વિદ્વાનોને દાનમાં આપવી તથા જ્ઞાનભંડાર અર્થાત હસ્તલિખિત પુસ્તક ભંડારો ની સ્થાપના કરાવવી એને પુણ્યનું કાર્ય ગણેલું છે, કેમ કે જે સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરવાનું જૈન શાસ્ત્રોમાં કહેલું છે. એમાંનું એક ક્ષેત્ર જ્ઞાન પણ છે. પરતુ આને અર્થ એ નથી કે ગુજરાતમાં સાહિત્યપ્રવૃત્તિ જૈન ધર્મના અનુયાયીઓ પૂરતી મર્યાદિત હતી. ગુજરાતને ચૌલુક્ય રાજવંશ કુલપરંપરાએ શિવધર્મી હતો; રાજપુરોહિત તરીકે સામાન્ય રીતે વિદ્વાન માણસ રહેતો. વસ્તુપાળને પરમ મિત્ર અને પિતાની અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિમાં એની પાસેથી આશ્રય મેળવનાર સંમેશ્વર ચૌલુક્ય રાજાને કુલપરંપરાગત પુરોહિત હતો. એના એક પૂર્વજન્મ અથવા સેમેશ્વર–ના પ્રયત્નથી દુર્લભરાજના સમય (ઈ. સ. ૧૦૧૦–૧૦૨૨)માં સુવિહિત જૈન સાધુઓ એ જ ધર્મના ચિત્યવાસી સાધુઓને કટ્ટર વિરોધ હોવા છતાં પાટણમાં પ્રવેશ મેળવી શક્યા હતા. ૧૮ રાજા વિદ્વાનેને આશ્રય આપતો અને પરિણામે એની સભામાં કવિતા વિદ્વત્તા અને તાત્વિક વાદવિવાદનું વાતાવરણ રહેતું. આથી બ્રાહ્મણ વિદ્વાનોએ પણ સારું સાહિત્યસર્જન કરેલું હોવું જોઈએ, કેમકે તેઓ પેિઢીઓની પરંપરાથી વિદ્યાના વારસદારો હતા. પણ જેનોએ રચેલા ગ્રન્થોની તુલનામાં જૈનેતર વિદ્વાનોના ગ્રન્થો બહુ ઓછી લખાયા છે. વલભી અને શ્રીમાલની જે સાહિત્યપ્રવૃત્તિને ઉલ્લેખ અગાઉ કર્યો છે તેની પહેલાં દક્ષિણ ગુજરાતમાં થયેલા, “નિરુક્ત કાર યાસ્કના ટીકાકાર દુર્ગાચાર્ય તથા તેની પછી અને વરતુપાળને સમય પહેલાં ઈસવી સનની ૧૧ મી સદીના પ્રારંભમાં વાજસનેયી સંહિતા' અને
પ્રાતિશાખ્ય સૂત્રો ” ઉપરનાં વડનગરના બ્રાહ્મણ પંડિત ઊવટવૃત ભાગે અને ઈ. સ. ૧૦૫૪ માં એ જ નગરના ઘાવેિદકૃત વેદમાંની પ્રાચીન ઈતિહાસકથાઓ–નીતિધર્મના ઉપદેશ અથે વર્ણવતી ‘નીતિમંજરી” અને એ જ અરસામાં થયેલા કાયસ્થ કવિ સોઢલકૃત “ઉદયસુન્દરી કથા” જેવી ઉપલબ્ધ રચનાઓ વિરલ ગણી શકાય એવી છે. આનું કારણ એ છે કે જૈન ગ્રન્થ સમરત જૈન સંધની માલિકીના જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહ્યા હતા, જ્યારે બીજા સંપ્રદાયમાં ગ્રન્થના સંગાપન માટે કોઈ ખાસ વ્યવસ્થા નહોતી. ખાસ નોંધપાત્ર તો એ છે કે રાજશેખરફત “કાવ્યમીમાંસા,' ભટ્ટ જયરાશિત “તપ” અને મૂલ સંસ્કૃત “તવસંગ્રહ”
૬૮. “પ્રભાવક ચરિત, પ્રબંધ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org