________________
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ
[વિભાગ ૧
અણુહિલવાડ પાટણની સાહિત્ય અને પાંડિત્યની પરપરા ૧૯. શ્રીમાલની પડતી અગાઉ કેટલીક સદીઓ પહેલાં, વિ. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૬ ) માં૨૬ ચાવડા વંશના એક ઠાકાર વનરાજે ઉત્તર ગુજરાતમાં સરરવતી નદીના કિનારે લાખારામ નામે એક પ્રાચીન ગામડાના સ્થાન ઉપર અણહિલવાડ પાટણ વસાવ્યું હતું.૨૭ ચાવડા વિશે સમકાલીન નાંધા કે એમના લેખા નથી, એમના સિક્કાએ પણુ મળ્યા નથી; વળી ઃ પ્રબન્ધચિન્તામણિ ’ જેવા ગ્રન્થામાં એમના ઉલ્લેખ ‘લૂંટારા’ તરીકે કરેલા છે,૨૮ એ ધ્યાનમાં લેતાં એમની હકૂમત અહિલવાડ આસપાસના ઘેાડા પ્રદેશ ઉપર જ હશે એમ માનવું ચેાગ્ય છે. ચાવડાઓના રાજ્યને ઈ. સ. ૯૪૨માં અંત આવ્યા. છેલ્લા ચાવડા રાજા સામતસિંહ દારૂડિયા હતા અને તેણે દારૂના ઘેનમાં પેાતાના ભાણેજ મૂલરાજ સેાલકને રાજ્ય બક્ષિસ આપ્યું હતું; પણ મૂલરાજે તેા પેાતાના મામાને વધ કરીને રાજ્યના કબજો લઈ લીધા. આ સમયમાં, જ્યારે અણહિલવાડનું રાજ્ય નાનકડી કરાત જેવું હતું ત્યારે પણ, આપણને એછામાં એછી એક ઘટના એવી મળે છે જે બતાવે છે કે શ્રીમાલના સાંસ્કારિક જીવનનું સાતત્ય અણુહિલવાડની આસપાસના પ્રદેશમાં પણ રહ્યુ હતું. આપણે હમણાં (વાક્યખંડ ૧૭) જોયું કે ‘કુવલયમાલા'ના કર્તા ઉદ્યોતનસૂરિના ગુરુ તત્ત્વાચા નામે હતા. પાટણ પાસેના ગભુતા (ગાંભુ) ગામમાં જૈન આગમનાં એ અગા ‘આચારાંગ' અને ‘સૂત્રકૃતાંગ’ ઉપર પ્રમાણભૂત ટીકાએ લખનાર શીલાચાય અથવા શીલાંકાચાથી આ તત્ત્વાચાર્ય અભિન્ન હાય એ શક્ય છે. આ તર્કને માટે આધાર એ છે કે આ શીલાચાર્ય તત્ત્વાદિત્ય તરીકે પણ જાણીતા છે, જેને તત્ત્વાચાના પર્યાય ગણી શકાય. વળી ‘કુવલયમાલા'ની પ્રશસ્તિની ૧૨મી ગાથામાં તત્ત્વાચા ના ઉલ્લેખ કરતાં લેખંકે શ્લેષાત્મક રીતે શીલાંકની પણ વાત કરી છે.૨૯ પાટણના સ્થાપક વનરાજના ગુરુ શીલગુણસૂરિ તે જ આ શીલાંક, ૨૬. પાટણની સ્થાપનાની સમયચર્ચા માટે જુએ ‘કાન્તમાલા' માં શ્રી. રામલાલ મેાદીના લેખ.
૧૪ ]
૨૭. વિતીકમાં ૨૬ મે કલ્પ. જુઆ ર. છે. પરીખ, ઉપર્યુંક્ત રૃ. ૨૦૩-૪. ૨૮. પ્રચિ, પૃ. ૧૪
૨૯.
तस्स वि सीसो तत्ताअरिओ त्ति णाम पयडगुणो
અત્તિ તતૈયળિગ્નિનિળયોદ્દો [ વિળયર્વ ] || ૧૧ ||
[ जो दूसमसलिलपवा हवे हीरन्तगुण सहरसाण ] सीलंगविउलसालो लक्खणरुक्खो व निकंपो ॥ १२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org