________________
પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા
[ ૧૩
મુજબ, એમના ગુરુનું નામ તત્ત્વાચાયૅ હતું. આ ઉપરાંત કર્તાએ પેાતાના એ વિદ્યાગુરુઓને ઉલ્લેખ કર્યો છે. એમાંના એક વીરભદ્રે જાબાલિપુરમાં આદિનાથનું સુન્દર મન્દિર કરાવ્યું હતું. તે કર્તાના સિદ્ધાન્તાધ્યાપક ગુરુ હતા. ખીજા ગુરુ તે હરિભદ્રસૂરિ જેમણે કર્તાને યુક્તિશાસ્ત્ર-ન્યાયશાસ્ત્ર શીખવ્યું હતું. આ પ્રમાણે હરિભદ્રસૂરિ એ કર્તાના વૃદ્ધુસમકાલીન હતા. પેાતાની ગુરુપરપરામાં કર્તાએ દેવગુપ્ત નામે આચાય જેએ ‘મહાકવિ’ હતા, એમનેા તથા દેવગુપ્તના શિષ્ય શિવચન્દ્ર જેએ શ્રીમાલમાં સ્થિર થયા હતા તેમના ઉલ્લેખ કર્યા છે (પ્રશસ્તિ, ગાથા, ૫-૬).૨૩
૧૮. આ ઘેાડાંક ઉદાહરણા શ્રીમાલના ધબકતા સાહિત્યિક જીવનને કંઈક ખ્યાલ આપવા માટે બસ થશે. અણુહિલવાડને પ્રેરણા શ્રીમાલમાંથી મળી હતી એમ કહી શકાય. આ સમયમાં, ઈ. સ. ૯૫૩ સુધી, શ્રીમાલ ગુર્જર દેશમાં સૌથી મહત્ત્વનું નગર હાય એમ સ્પષ્ટ જણાય છે.૨૪ પણ એ પછી તુરત, ભીમસેન નામે એક રાજાના રાજ્યમાં શ્રીમાલમાંથી ૧૮૦૦૦ ગુર્જરાનું સ્થળાન્તર થયાની નોંધ મળે છે. શ્રીમાલપુરાણુ’ અનુસાર, શ્રીએ આ નગરના સં. ૧૨૦૩ (ઈ. સ. ૧૧૪૭)માં ત્યાગ કર્યા.૨૫ આ વિધાન જે સાચું માનીએ તેા, એ અરસામાં શ્રીમાલમાંથી ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને અણહિલવાડ તરફ વસ્તીનું મોટા પ્રમાણમાં સ્થળાન્તર થયું હાવું જોઈ એ. ગુજરાતના વિકા, બ્રાહ્મણેા અને કારીગર વર્ગના મેટા ભાગ પોતે મારવાડમાંથી આવ્યા હૈાવાનું બતાવે છે તથા એમાંના કેટલાક શ્રીમાલ અને એનાં પરાંઓમાંથી આવ્યાનું જણાય છે. શ્રીમાળી બ્રાહ્મણા અને વાણિયા, પ્રાગ્ગાટ ( પારવાડ=શ્રીમાલના પૂર્વ ભાગમાં રહેનારા ) વાણિયા અને શ્રીમાળી સાનીએ, એમનાં જ્ઞાતિનામે બતાવે છે તેમ, તળ શ્રીમાલમાંથી જ છે. શ્રીમાલ ભાંગ્યું એનેા લાભ અણહિલવાડને મળ્યા અને પછીના સમયમાં શ્રીમાળીએ અને પારવાડાએ ગુજરાતના રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનમાં કેટલા ફાળા આપ્યા એ આપણે જાણીએ છીએ. એમાંના કેટલાક મેટા વહીવટકર્તા અને સેનાપતિ તરીકે, નિપુણ ગ્રન્થકર્તાએ તરીકે, કલામય સ્મારકા બધાવનાર તરીકે અને પેાતાના સમયના ધાર્મિક નેતાઓ તરીકે પ્રસિદ્ધ થયેલા છે.
૨૩. ‘વસન્ત રજત મહોત્સવ સ્મારક ગ્રન્થ’ (પૃ. ૨૭૦-૭૧)માં ‘કુવલયમાલા’ વિશે શ્રી, જિનવિજયજીના લેખ
૨૪. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૦૭
૨૫. એ જ, પૃ. ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org