________________
પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૯ એક મહાન ગ્રન્થ “સન્મતિતિક ” ઉપર તેમણે ટીકા રચી હતી એવી પણ અનુકૃતિ છે. આચાર્ય હેમચન્ટે પોતાના “સિદ્ધહેમ વ્યાકરણમાં ‘તાર્કિકમાં શ્રેણ” તરીકે મલ્લાદીને બિરદાવ્યા છે.૧૨ આ મહાન જૈન વિદ્વાનને પરં. પરાગત વૃત્તાન્ત “પ્રભાવક ચરિત' ઉપરાંત મેરૂતુંગના “પ્રબન્ધચિન્તામણિ (ઈ. સ. ૧૩૦૫)માં, રાજશેખરના “પ્રબન્ધકોશ (ઈ. સ. ૧૩૪૦)માં તથા બીજા કેટલાક ગ્રન્થામાં મળે છે.
શ્રીમાલનું સાંસ્કારિક જીવન ૧૦, “વિવિધ તીર્થકલ્પ'ના લેખક જિનપ્રભસૂરિએ કહ્યું છે તે પ્રમાણે, ઘણું કરીને ઈ. સ. ૭૮૯ ના અરસામાં સિન્ધમાંથી આવેલા આરબેને હાથે વલભીનું પતન થયું.૧૩ “ વલભીના પરાજય પછી પશ્ચિમ ભારતના પ્રમુખ નગર તરીકેનું એનું સ્થાન અણહિલવાડે લીધું અને પંદરમા સિકામાં અમદાવાદની સ્થાપના થતાં સુધી જાળવી રાખ્યું. ૧૪ પરન્તુ આપણે અણહિલવાડ ઉપર આવીએ ત્યારે પહેલાં, જેમણે આપણા પ્રાન્તને “ગુજરાત” નામ આપ્યું એ ગુર્જરના પહેલા પાટનગર શ્રીમાલ અને ભિન્નમાલના સાંસ્કારિક જીવન ઉપર એક દષ્ટિપાત કરી લઈએ. ભિન્નમાલ જ્યારે ગુર્જર દેશનું પાટનગર ન રહ્યું ત્યારે પણ મેટે ભાગે ત્યાંથી આવેલા લોકોએ ગુજરાતને ઇતિહાસ ધ છે. વસ્તુપાલ તે શ્રીમાલમાંથી ગુજરાતમાં આવેલી પ્રાગ્વાટ જ્ઞાતિનો હતો.
૧૧. શ્રીમાલ અથવા ભિન્નમાલ આબુની પશ્ચિમે આશરે ૫૦ માઈલ દૂર આવેલું છે. યુવાન-ચાંગને આધારે એમ કહી શકાય કે ઈ. સ. ના આઠમા સૈકામાં એ ગુર્જર રાજ્યનું પાટનગર હતું તથા એ રાજ્યને ઘેરાવો આશરે ૮૩૦ માઈલ હતો.૧૫ અત્યારના શહેરમાંના તથા આસપાસના પૃ. ૧૯૪-૯૫. એમાં પરંપરાગત વર્ષને વીર નિર્વાણ સંવતને બદલે વિકમ (અથવા શક) સંવતમાં ગણીને મલવાદીને ઈસવી નવમી સદીમાં મૂક્યા છે. આ સામે, મુનિશ્રી જંબુવિજયજી ( વિશાલ ભારત', પુ. ૪૬, પૃ. ૪૧૫) વિવિધ પ્રમાણે રજુ કરીને પરંપરાગત વર્ષનું સમર્થન કરે છે.
૧૨. મનુષ્ઠાવિનં તાજા:, “સિદ્ધહૈમ” ઉપરની બૃહદ્રીકા (૨-૨-૩૯) ૧૩. હરિપ્રસાદ શાસ્ત્રી, ઇતિકવા, પુ. ૨૩, પૃ. ૨૪૮ અને આગળ ૧૪. સ્મિથ, ઉપર્યુક્ત, પૃ. ૩૧૪-૧૫
૧૫. આજે તળ ગુજરાતની સીમાઓમાં ભિન્નમાલને સમાવેશ થતો નથી, પણ ઓછામાં ઓછું રોળમાં સૈકા સુધી ગુજરાત અને રાજસ્થાન સંસ્કાર અને ભાષાની દૃષ્ટિએ એક હતાં એ જાણીતું છે અને એ જ કારણે છે. ટેસિટરી જેવા વિદ્વાનોએ જૂની ગુજરાતને “જુની પશ્ચિમી રાજસ્થાની ” એવું નામ આપ્યું છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org