SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ કેટલાંક મહત્ત્વનાં પાઠાન્તરે હતાં અને પાંડુદાસ એ શ્રીધરને શિષ્ય હતા એવી પરંપરા નિદાન ગુજરાતમાં તે હતી. નરચન્દ્રના ટિપ્પણમાં શ્રીધરના ગુરુ તરીકે ભટ્ટાચાર્યનું નામ આપેલું છે–મિથિના આત્તિને (ન્યાક, પૃ. ૧૭૮) ગુfમરિતિ મદૃાવારિત્યર્થઃ ૨૮ “ન્યાયકન્દલીના સુપ્રસિદ્ધ કર્તાના અંગત જીવનને લગતી આ હકીકત નેંધપાત્ર છે, કેમકે બીજા કોઈ પણ સાધનમાંથી એ મળતી નથી. ૨૯૮, આમ નરચન્દ્રસૂરિ એક વ્યુત્પન્ન તાર્કિક અને વિવિધ શાસ્ત્રોના ઊંડા વિદ્વાન હોવા છતાં સંસ્કૃત શાસ્ત્રોને ટીકાકારોમાં નજરે પડતી એક સામાન્ય ક્ષતિથી તેઓ મુક્ત નથી. ટીકાના પ્રારંભમાં તેઓ પૂરતો વિસ્તાર કરે છે, પણ ખાસ કરીને ઉત્તરાર્ધમાં તે, જાણે કે પોતાને સાહિત્યિક પ્રયત્નથી તેઓ થાકી ગયા હોય તેમ, એમનું નિરૂપણ પ્રમાણમાં સંક્ષિપ્ત બની જાય છે. “ન્યાયકન્ડલી” ઉપરના ટિપ્પણમાં, મૂળ ગ્રન્થના પ્રારંભમાં આવત દ્રવ્યગ્રન્થ નરચન્ટે પૂરતી વિગતથી સમજાવ્યું છે. પણ રચના આગળ ચાલે છે તેમ તેમ એમનું વિવરણ ટૂંકુ ને ટૂંકું થતું જાય છે. દ્રવ્યગ્રન્થની તુલનાએ ગુણગ્રન્થનું વિવરણ સંક્ષિપ્તતર બને છે; કર્મ અને સામાન્યને બહુ જલદીથી પતાવી દીધા છે; વિશેષ ઉપર કશું લખવામાં આવ્યું નથી, અને સામાન્ય વિશે માત્ર ત્રણ કે ચાર પંક્તિઓ છે. “ન્યાયકન્ડલી”નું આ ટિપ્પણ “અનર્ધરાઘવ” ઉપરના ટિપ્પણ અને “ પ્રાકૃતપ્રબોધ ની જેમ જ વિદ્યાર્થીઓને સરલ માર્ગદર્શિની આપવાના ઉદેશથી નરચન્ટે લખ્યું હોય; અથવા આ ટિપ્પણ શિષ્ય સમક્ષ તેમણે આપેલાં વ્યાખ્યાનોની નેધરૂપે હોય. જો એમ હોય તે એમાંની એમની નિરૂપણરીતિ માટે કંઈક તર્કગ્રાહ્ય કારણ આપી શકાય. પ્રકરણ ૧૮ જોતિષ ગ્ર જ્યોતિષવિષયક સાહિત્ય ૨૯૯ ભારતમાં વિકસેલી સૌથી પ્રાચીન વિદ્યાઓમાંની એક જ્યોતિષ પણ હતી. જ્યોતિષ એ છે વેદાંગે પૈકી એક છે. “બ્રાહ્મણોમાં અને ધર્મસૂત્રોમાં શુભ ગ્રહને ખ્યાલ રવીકારાયેલું જોવામાં આવે છે અને ધર્મસૂત્રો કહે છે કે રાજદરબારમાં જેમ પુરોહિત હોય તેમ જ્યોતિષી પણ હોવો જોઈએ; અને બંદીજને તથા પુરોહિત અને જ્યોતિષીના સેવકને “અર્થ ૩૮. એ જ, પત્ર ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy