________________
પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૨૩ રીતે વધી હોય એ અશકય નથી. જે કે એવી રચનાઓના પ્રમાણમાં અર્વાચીન નમૂનાઓ આપણને મળે છે. ૩૨ હૈં. યાકોબીના મત પ્રમાણે, કવિતાની કલા પર સલાહ સૂચને આપવાં તથા કવિના માર્ગદર્શન માટે વ્યવહારુ સૂચને આપવાં–એથી આગળ ભારતમાં કાવ્યશાસ્ત્ર, એના પ્રારંભકાળે, જતું નહોતું, પાછળનું સાહિત્યમાં જ્યારે એ સાથે સંબંધ ધરાવતા સિદ્ધાતિક પ્રશ્નો મહત્વનું સ્થાન પામવા લાગ્યા ત્યારે એ મૂળ વસ્તુ એક અલગ અધ્યયનને પાત્ર વિષય બની.૩૩ કવિની બહુપ્રત સંસ્કારિતા તથા એની વ્યવહારુ તાલીમ એ બનેય પ્રાચીન ભારતમાં બહુ મહત્વનાં ગણાતાં હતાં, અને સહૃદયને કવિ પ્રસન્ન કરી શકે ત્યાર પહેલાં એને વિદ્યાનાં અનેક ક્ષેત્રોમાં લાંબા સમય સુધી શ્રમ કરવો પડતો હતો. કવિની વ્યવહારુ તાલીમના મહત્વને ખ્યાલ ભામહને હોય એમ જણાય છે, પણ આ વિષયનું એનું વિવેચન વામનની તુલનાએ સંક્ષિપ્ત છે. આ વિષયની પહેલી વાર વિગતવાર ચર્ચા કરનાર લેખક વામન છે. કુદરતી બક્ષિસ (“સત્કવિત્વ, ભામહ ૧-૪) અથવા “પ્રતિભાને અસ્વીકાર નહિ કરવા છતાં જૂના અને નવા તમામ લેખકોએ અભ્યાસ અને અનુભવ ઉપર ભાર મળે છે, અનેક શાસ્ત્રો અને કલાઓમાં કવિ પ્રવીણ હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે, એ શાસ્ત્રો અને કલાઓની લાંબી સૂચિ અપાય છે. આવી સૌથી પહેલી સૂચિ ભામહે (૧૯) આપી છે, જેમાં વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કેશ, ઇતિહાસ પુરાણ સંબંધી કથાઓ, લેકવૃત્ત, તર્ક અને લલિત કલાઓને કાવ્યરચનામાં ઉપયોગી ગણાવ્યાં છે. રુદ્રટે (૧-૧૮) આપેલી સૂચિ સાથે આ મળતું આવે છે. વામન ૧. ૩. ૧-ર૦) આ મુદ્દાની વધારે વિગતવાર ચર્ચા કરે છે તથા વ્યાકરણ, કાશ, છંદશાસ્ત્ર, કલાઓ, કામશાસ્ત્ર, રાજનીતિ, અને સૌથી વધારે તો લેકવૃત્તનો કવિ જાણકાર હોવો જોઈએ એમ કહે છે.૩૪ રાજશેખરકૃતિ “કાવ્યમીમાંસા'માં (ઈ. સ. ૯૦૦ આસપાસ) કવિશિક્ષા અને સર્વસામાન્ય સાહિત્યશાસ્ત્રના વિષયનું મિશ્રણ કરી દીધેલું છે, અને એ સાથે ખાસ સંબંધ નહિ ધરાવતી એવી વિવિધ બાબતની પણ લંબાણથી વાત કરી છે, એમાં ભૂગોળ, કવિસમય, હતુવર્ણન, કવિગેષ્ટિ આદિ વિષયોને પણ ઊગતા કવિઓ માટે ઉપયોગી ગણીને સમાવેશ કરેલ છે.
૩૨. દે. ઉપર્યુક્ત, પુ. ૨, પૃ. ૩૫૬-૫૭ ૩૩. એ જ, પૃ. ૪૩ ૩૪. એ જ, પૃ. ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org