SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ૩ છે, જેમાંને એક ધર્મકથાનુયોગ છે. “જ્ઞાતાધર્મકથાને ધર્મકથાનુગને એક પ્રતિનિધિરૂપ ગ્રન્થ ગણવામાં આવે છે. જૈન આગમગ્રન્થની પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓમાં પુષ્કળ પ્રાચીન અનુકૃતિઓ અને કથાનકે આવે છે, એટલું જ નહિ, પણ બહુસંખ્ય વાર્તાઓ અને લોકકથાઓ તેમાં છે; અને સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલાં તીર્થકરે અને બીજા મહાપુરુષોનાં ચરિત્રમાં મુખ્ય કથાભાગની અંદર પ્રસંગોપાત્ત તમામ પ્રકારની વાર્તાઓ મૂકવામાં આવતી. આ સિવાય પણ જૈન ગ્રન્થકારેએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અર્વાચીન ભારતીય ભાષાઓમાં વિપુલ કથાસાહિત્ય સર્યું છે. “આ બધા ગ્રન્થ પછી તે સાદા ગદ્યમાં કે સરળ પદ્યમાં લખાયેલી વાર્તાઓ હોય કે અલંકૃત કાવ્યો, લાંબી કથાઓ કે મહાકાવ્યો હોય- છેવટે તે એ બધા ધર્મપ્રવચનનું સ્વરૂપ લે છે. કેવળ રંજનને એમને ઉદ્દેશ છે જ નહિ, ધર્મોપદેશ અને બેધ એ જ એમને આશય છે.” ૨૩૯ જૈન સાહિત્યમાં બહુસંખ્ય કથા છે, પણ એમાંને મેટ ભાગ દસમી સદી પછી રચાયેલ છે. પ્રાચીનતર શતાબ્દીઓમાં જોઈએ છીએ તેમ તેમ ઉપલબ્ધ પ્રન્થોની સંખ્યા ઘટતી જણાય છે, અને ઇ. સ. ની પહેલી સહસ્ત્રાબ્દીમાં રચાયેલા કથાળે પૂરા દસ પણ મળતા નથી. પાદલિતાચાર્યની મહાન ધર્મકથા ‘તરંગવતી' (ઇ. સ. ની ૫ મી સદી પહેલાં) એની રચના આશરે એક હજાર વર્ષ બાદ નેમચન્ટે કરેલા સંક્ષેપ દ્વારા જ સારરૂપે જાણવા મળે છે, અને “મલયવતી, “મગધસેના,” “બધુમતી' અને સુલોચના' જેવી અન્ય પ્રાચીન કથાઓ વિશે માત્ર સાહિત્યિક ઉલ્લેખો જ પ્રાપ્ત થાય છે. સંધદાસગણિકૃત “વસુદેવ-હિડી' એ, હમણાં ઉપર કહ્યું તેમ, લુપ્ત “બૃહત્કથાનું પ્રાકૃતમાં થયેલું જૈન રૂપાન્તર છે, અને આગમકાળ પછી જે ધર્મકથાસાહિત્ય વિકસ્યું હતું એને એક મહાન અવશેષ તેમાં જોવા મળે છે. હરિભદ્રસૂરિકત “સમરાઈચ કહા,” ઉદ્યોતનસૂરિકૃત “કુવલયમાલા કથા અને સિદ્ધષિકૃત ‘ઉપમિતિભવપ્રપંચ કથા” એ બીજી ત્રણ પ્રાચીન ધર્મકથાઓ છે; એમને નિદેશ પહેલા પ્રકરણમાં કરેલું છે. હરિષણકૃત બૃહત્કથાકેશ” એ ઈ. સ. ના ૧૦ મા સકામાં રચાયેલે ધર્મકથાસંગ્રહ છે. પ્રાચીન ધર્મકથાઓ જેવી સંસ્કૃત યોજનાવાળી વિસ્તૃત કથાઓ રચાવા ઉપરાંત પાછળના સમયમાં જૈન લેખકોએ કથાકેશો અથવા કથાસમુચ્ચયે રચ્યા. ૧. વિટરનિસ, એ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૨૧ ૨. જૈસાસ, પુ. 3, પૃ. ૧૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy