________________
૧૯૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ મંગલાચરણ ઉપરથી સ્પષ્ટ છે કે કર્તાને ઉદ્દેશ ધાર્મિક અને ઉપદેશાત્મક છે. પોતાનાં કર્મોના ક્ષય માટે કવિ કૃષ્ણ અને શિવને, ગંગાને અને પોતાના મુખમાં વસતા ત્રણ વેદને પ્રણામ કરે છે (શ્લેક ૫), અને ૭ મા શ્લોકમાં તે કહે છે કે આ રચનાને આશય “સાધુબોધ છે. “કર્ણામૃતપ્રપા” જુદા જુદા ૧૪ વિભાગમાં વહેચાયેલી છે, અને પ્રત્યેક વિભાગ કોઈ એક મુદ્દાને અનુલક્ષીને છે-જેમકે, લક્ષ્મી (શ્લેક ૧૦–૧૯), કામ (શ્લેક ૨૦-૨૫), લોભ (શ્લેક ૨૬), ક્રોધ (શ્લેક ૨૭), કલિવરૂપ (શ્લેક ૨૮-૩૯), કુનરેન્દ્રનિન્દા (શ્લેક ૪૦-૫૬), દુર્જન (શ્લેક પ૭– ૬૫), મનરવી (૬૬–૭૦), વિધિ (શ્લેક ૭૧-૭૯), નિર્વેદ (લોક ૮૦-૧૦૯); પ્રકીર્ણ કાવ્યક્તિઓને એક વિભાગ છે (શ્લેક ૧૧-૪૫), જેમાં સંખ્યાબંધ અન્યક્તિઓ છે; આ ઉપરાંત શમ (શ્લોક ૧૪૬-૬૨), “ઉપદેશ એ શીર્ષક નીચેનાં બોધપ્રધાન પદ્ય (શ્લોક ૧૬૩-૯૬), અને છેલ્લે “શ્રીકૃષ્ણપ્રાર્થના છે (લેક ૧૯૬-૨૧૬), જેમાં શિવપ્રાર્થનાના પણ કેટલાક શ્લેકે છે. છેલ્લા લેકમાં કવિ પિતાનો ઉલ્લેખ કરે છે. - ર૩૦, ગુર્જર દેશની મુખ્ય નગરી અણહિલવાડની દુઃખી દશા વણવત કર્ણામૃતપ્રપાન ૧૦૯ મે કલેક (ઈવ freતનિત્તરવૃક્ષા ) કીતિકૌમુદી'માં (૨-૧૦૪) છે. બ્લેક ૧૦૮ (fણામુર્ણ: પુરા પરતં) એ જ વિષયને લગતો છે, પણ કર્તાની બીજી કોઈ ઉપલબ્ધ રચનામાં તે નથી. અન્યક્તિઓમાંને એક, ૧૨૪ મે બ્લેક (માસાન માંણત્રપાદટાપરિમ૦) “પ્રબન્ધકોશ” (શ્લોક ૩૨૯) અને “વિવિધતીર્થકલ્પ' (પૃ. ૮૦) માં મળે છે, અને ત્યાં એનું કત્વ સાચી રીતે જ, સોમેશ્વર ઉપર આરપેલું છે. લેક ૧૦૬ અને ૧૦૭ (તિgત્યેક તવાન્તિ અને તાવ
[મણે મરા) ગુજરાતના પ્રતાપી સિદ્ધરાજ જયસિંહના સ્મરણમાં રચાયાં છે. લેક ૧૭૭–૯૬, એને છંદ તેમજ શૈલી સૂચવે છે તેમ, શંકરાચાર્યના ગણાતા “ચપટપંજરિકા સ્તોત્રની અસર નીચે રચાયા જણાય છે. ઉદાહરણ તરીકે– वित्तं तदखिलमपि परिगलितं पादुर्भुतं शिरसि च पलितम् । तदपि न हृदयं विषयवितृप्तं संसेवितुमभिलष्यति कृष्णम् ।। इयमपि दशनश्रेणी पतिता सा च समाप्ता जगदधिपतिता। तजगदाश्रयमाश्रय देवं हृदय विरंस्यलि दुःखादेवम् । सत्पात्रेषु न दत्तं दानं मन्ये तत्तव दौस्थ्यनिदानम् । प्रणतः क्वचिदपि न स गोविन्दस्तदयं प्रहरति कालपुलिन्दः ॥
(શ્લેક ૧૭૭–૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org