________________
૧૮૮ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૩
કે ‘સૂર્ય સહસ્રનામ,' ‘વિષ્ણુસહસ્રનામ,' ‘દેવી સહસ્રનામ' આદિ પણ સમય જતાં તૈયાર થયા છે. પરન્તુ ઊર્મિકવિતાના એક સ્વતંત્ર પ્રકાર તરીકે પણ રાત્ર સુસ્થાપિત થયું છે, અને શિવમહિમ્નઃસ્તત્ર,' ‘શિવાપરાધક્ષમાપન સ્તાત્ર’, મયૂરકૃત ‘સૂર્યશતક' તથા શકરાચાયનાં સંખ્યાબંધ નાનાં મેટાં સ્તોત્રોની અસાધારણ લાકપ્રિયતા એની આ પ્રકારની મૂલ્યવત્તા ઉપર પ્રકાશ પાડે છે. ઠેઠ અર્વાચીન કાળ સુધી સંસ્કૃત સ્તોત્રસાહિત્યની રચના થતી રહી છે.
સામેશ્વરકૃત રામશતક'
રર. વસ્તુપાળના સાહિત્યમ`ડળના કવિઓને હસ્તે સંખ્યાબંધ વાત્રોની રચના થઈ છે. એમાં સામેશ્વરકૃત રામશતક' સૌથી મહત્ત્વનું છે. ‘રામશતક' હજી અપ્રસિદ્ધ હાઈ હસ્તપ્રતામાં જ ઉપલબ્ધ છે. એનું નામ સૂચવે છે તેમ, એ સે। શ્લાકમાં રામનું સ્તેાત્ર છે, અને એમાં સાદ્યન્ત સ્રગ્ધરા વૃત્તના પ્રયોગ થયા છે. ૧૦૧ મા ક્લાક જે ખરુ જોતાં તેાત્રા ભાગ નથી તે માત્ર ઉપતિ વૃત્તમાં છે. રામસ્તુતિનું આ કાવ્ય, દેખીતી રીતે મયૂરકૃત ‘સૂર્યશતક' અને બાણુકૃત ‘ચ’ડીશતક'ના નમૂના ઉપર રચાયું છે. એ બન્નેય સધ્ધરામાં રચાયેલાં, શતશ્લેાકી સ્તોત્રો છે તથા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે.૧ ‘રામશતક'માં સ્તુતિ રામના જીવનના પ્રસંગાને અનુલક્ષીને છે. લેાક ૧-૬ રામના જન્મ અને બાલક્રીડા વિશે છે અને લેાક ૬-૮ એમનું વિદ્યાધ્યયન વર્ણવે છે. એ પછી નીચેના પ્રસંગેા સ્તુતિપૂર્વક વર્ણવાય છે : વિશ્વામિત્રના યજ્ઞનું રામે કરેલું રક્ષણ (ક્લાક ૯-૧૧), તાડકા અને ખીજા રાક્ષસાના વધ (શ્લોક ૧૨-૧૫),અહલ્યાના ઉપકાર (શ્ર્લોક ૧૬-૧૯), વિશ્વામિત્ર સાથે રામનું મિથિલા આવવું, શિવધનુષના ભંગ અને રામ-સીતાનું લમ (ક્લાક ૨૦-૩૧), મિથિલાથી અયોધ્યા જતાં માર્ગમાં ક્રુદ્ધ પરશુરામને મળવું તથા પરશુરામના પરાજય (શ્લાક ૩૨-૩૯), રામનેા રાજ્યાભિષેક કરવાની દશરથની ઇચ્છા, પણ છેવટે કૈકેયીના વચનથી રામનેા વનવાસ (શ્ર્લોક ૪-૪૬), વનમાં પરિભ્રમણ, સીતાનું હરણ અને સુગ્રીવાદિ વાનરા સાથે રામનું મિલન (ક્લાક પ૭-૭૧), હનુમાને કરેલી સીતાની શેાધ, સેતુબંધ, રામ અને રાવણનું યુદ્ધ અને રાવણને વધ (શ્લેક ૮૨-૮૫), સીતાની અગ્નિપરીક્ષા, રામનું અયાધ્યાગમન અને અંતમાં રાજ્યાભિષેક (૯૬–૧૦૦).
૧. જ’ખુગુરુકૃત ‘જિનશતક' (પ્રસિદ્ધ ‘કાવ્યમાલા,' ગુચ્છ ૭) પણ સા સ્રગ્ધરામાં રચાયું હોઈ આ પર’પરાને ચાલુ રાખે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org