________________
૧ર ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ વાટ જોતી હતી. આ બધાં સ્થળનું વર્ણને ખૂબ અલંકૃત શૈલીએ કરવામાં આવ્યું છે; આબુથી ધોળકા સુધીના આકાશમાગી પ્રવાસનું વર્ણન કરવાને
ખ્યાલ સંખ્યાબંધ રામચરિતવિષયક નાટકમાં તથા “રઘુવંશ'માં (પેરા ૫૯૦) આવતા લંકાથી અયોધ્યા સુધીના રામના પ્રવાસવર્ણન ઉપરથી કર્તાને આવ્યો હશે. સર્વે ધોળકા પહોંચી ગયા પછી જાણવા મળે છે કે વસ્તુપાળે મિલછીકારના ગુરુઓ રદી અને કદી જેઓ બગદાદથી પાછા ફરતા હતા તેમને સમુદ્રમાં અટકાવ્યા છે અને તેમની સલામતી ખાતર મિલચ્છીકારને મૈત્રીની સંધિ કરવાની ફરજ પડી છે. વસ્તુપાળ અને વીરધવલ પરસ્પરને અભિનંદન આપે છે. છેવટે રાજા શિવમન્દિરમાં જાય છે, જેમાં શિવ પોતે પ્રત્યક્ષ થઈને એને વરદાન આપે છે.૨૧
ર૦૨. “હમીરમદમર્દન અને મુખ્ય ઉદ્દેશ જેકે વસ્તુપાળ તેજપાળ અને રાજા વિરધવલની મહત્તા ગાવાનો છે, છતાં સમકાલીન ઈતિહાસ ઉપર સ્વાભાવિક રીતે જ તે કેટલેક અગત્યને પ્રકાશ પાડે છે. એ સમયે ગુપ્તચરો કેવી રીતે કામ કરતા એ વિશે પણ કેટલુંક આમાંથી જાણવા મળે છે. અને મધ્યકાળમાં રચાયેલાં નાટકની શિલીની બધીયે મર્યાદાઓ આ નાટકમાં હોવા છતાં એના સંવાદો જુસ્સાદાર છે અને એની કવિતા સુન્દર ઉપમાઓથી ભરેલી છે. વસ્તુપાળ તેજપાળ અને વિરધવલનાં પાત્રો સુરેખ અને જીવંત છે તથા આકાશી પ્રવાસનું વર્ણન બતાવે છે કે કંઈક નવીન રજૂ કરવાની પણ કર્તાની ઇચ્છા છે. નાટકમાં એક જ સ્ત્રી પાત્ર છે અને તે રાણી જયતલદેવીનું પાંચમા અંકના આરંભમાં શંગારરસનું નિરૂપણ કરવા માટે જ કર્તાએ એ પાત્ર દાખલ કર્યું જણાય છે. જયતલદેવીને જે આપણે નાયિકા ગણીએ તો સ્વાભાવિક રીતે વિરધવલને નાયક ગણવો જોઈએ; ભરતવાક્ય પણ એના મુખમાં મુકાયું છે. બીજી બાજુ, નાટકનું મુખ્ય પાત્ર વસ્તુપાળ છે. એનું પ્રભાવશાળી વ્યક્તિત્વ નાટકની સર્વ ઘટનાઓને સ્પર્શ કરે છે. પ્રાયઃ કર્તાએ એને રાજકીય અર્થમાં વિરધવલના ગુરુ તરીકે અહીં રજૂ કર્યો છે. એની તુલના “મુદ્રારાક્ષસ'માંના ચાણક્યના પાત્ર સાથે થઈ શકે; એમાં નાયક ચંદ્રગુપ્ત છે, પણ કાર્યને મુખ્ય ભાર એના ગુરુ ચાણક્ય ઉપર જ છે.
૨૦૩, આ નાટકમાં સંખ્યાબંધ સુન્દર શ્લેકે છે; જોકે ગદ્યભાગ અને પદ્યભાગ વચ્ચે પ્રમાણને જે મોટો તફાવત “દૂતાંગદ” કે “કરુણાવાયુધમાં જણાય છે તે અહીં નથી. સંધ્યાકાળને આ વર્ણનમાં એક સચિર કલ્પના છે–
૨૧. હમમ, પ્રસ્તાવના, પૃ. ૬ થી આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org