________________
પ્રકરણ 3 સંસ્કૃત સાહિત્યમાં ફળે [ ૧૬૭ પ્રકાર પ્રમાણમાં મોડો જણાય છે, કેમકે નાટયશાસ્ત્રના ગ્રન્થમાં એને ઉલ્લેખ નથી. “છાયાનાટક’ શબ્દને સાચા અર્થ ગમે તે હોય, પણ ત્રણ ઉપલબ્ધ છાયાનાટકે-“દૂતાંગદ “શમામૃતમ અને “ધર્માલ્યુદય ગુજરાતનાં છે, અને એ વડે પૂતળીઓનું છાયાનાટય ઉદિષ્ટ હો એમ કહી શકાય કે મધ્યકાલીન ગુજરાતમાં એ પ્રકારના નાટય સાથે શિષ્ટ સંસ્કૃત ગદ્ય અને પદ્યને પાઠ પ્રચલિત હોવો જોઈએ.
બાલચન્દ્રકૃત “કરુણાવાયુધ” ૧૮હવે, બાલચન્દ્રનું એકાંકી નાટક “કરુણાવજોયુધ” લઈએ. મહાભારતના વનપર્વમાં અને જાતક (નં. ૪૯૯)માં મળતી શિબિરાજા અને કપતની આખ્યાયિકા જે પ્રકારાન્તરે જૈન પુરાણકથામાં પણ મળે છે તે એને વિષય છે. જૈન કથામાં નાયક જયુધ ચક્રવર્તી છે (સોળમા તીર્થ કર શ્રી શાન્તિનાથ એક પૂર્વજન્મમાં વજાયુધ હતા) અને એના પ્રાચીનતમ સ્વરૂપે એ કથા સંઘદાસ ગણિત “વસુદેવ-હિંડી (ઈ. સ. ૫૦૦ આસપાસ)ને ૨૧મા લંભકમાં છે; પાછળથી હેમચન્દ્રના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં તથા બીજા અનેક ગ્રન્થમાં તે મળે છે. “કરૂણાવાયુધ” નાટકની પ્રસ્તાવનામાં વસ્તુપાળ અને તેના પૂર્વજો વિશે તથા કવિ અને તેના ગુરુઓ વિશે ઘણી વિગત સૂત્રધાર આપે છે. એ પછી વિષ્કભકમાં કલહંસ અને કલકંઠ નામે નાટયાચાર્યો વચ્ચે સંવાદ છે, જેમાંથી જાણવા મળે છે કે રાજા વાયુધ દિગ્વિજય કરીને હમણાં જ પાછો ફર્યો છે, તે અત્યંત ધાર્મિક અને દયાળુ રણ અહીં ટાંકવું પ્રસ્તુત થશે. (રાવતાળ જૈવ તથા પોઝીવનન્ મથકમાંવીર્થ = વિર્ય ઢોzવળો: ! (ચિત્રશાળા પ્રેસની આવૃત્તિ) આમાંને પોપજીવન શબ્દ નીલકંઠ નીચે પ્રમાણે સમજાવે છે. હોળીવન ઝરમugવિતિ दाक्षिणात्येषु प्रसिद्धम् । यत्र सूक्ष्मवस्त्रं व्यवधाय चर्ममयैराकार राजामात्यादीनां રથ પ્રચંતે ! આમાંના કવિ સમાસમાં ગઢ શબ્દ અરબી “ઝિલ” ( ‘છાયા') ઉપરથી વ્યુત્પન્ન થઈ શકે. આ સમજતી ભારતમાં ગ્રામપ્રદેશમાં આજે પણ પ્રસિદ્ધ એવા પૂતળીઓના છાયાના પ્રાગને અનુલક્ષીને છે. પરંપરાથી નીલકંઠને પેશવાને આશ્રિત વિદ્વાન માનવામાં આવે છે, અને એ રીતે ૧૮માં સૈકામાં તે થયે હશે. જો કે બનેલ એને ૧૬મા સૈકામાં મૂકે છે. મૅકડોનલ સંત લિટરેચર, પૃ. ૨૯૦). ગમે તેમ, પણ નીલકંઠને ઉલ્લેખ પ્રમાણમાં અર્વાચીન છે અને પૂતળીઓના છાયાનાટચના ઈતિહાસ માટે તે ઉપયોગી હોવા છતાં સાહિત્યિક પ્રકાર લેખે છાયાનાટકના પ્રાચીન ઇતિહાસ ઉપર તેનાથી કશે પ્રકાશ પડતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org