________________
પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૫૧ સુભદ્રાને હરી જતા અર્જુનને બળભદ્રની જલદ ચેતવણી– रे चौर यदि सौजन्यं ताक्षमपि विस्मृतम् । તવા કે વામપોડપિ વિસ્કૃત રિપત્રમિત છે (૧૨-૩૭)
બીજે એક સ્થળે, સુભદ્રાના સ્તનપ્રદેશ ઉપર લટકતી વેણીને વિરહવેદનાથી પીડાતા અર્જુનની શરીરકાન્તિની ચોરી કરવાના અપવાદમાં આવેલા મન્મથના ઘટસરિ૩ નામે દિવ્ય (જેના ઉપર અપરાધને સંદેહ હોય એની સદષતા કે નિર્દોષતા પુરવાર કરવા માટે કરવામાં આવતી ચમત્કારિક પરીક્ષા) સાથે સરખાવી છે–
द्रुततरमपरस्या जालगर्भ गताया ललितलुलितवेणिः पीवरश्रीरुरोजे । शतमखसुतकायच्छायचौर्यापवादाદત ઘર કમથ વિધ્ય (૧૫-૧૧)
અમરચન્દ્રકૃત “બાલભારત” ૧૩૮, અમરચન્દ્રસૂરિકૃત “બાલભારત” એ, એનું નામ સૂચવે છે તેમ, મહાભારત ના મુખ્ય કથાવસ્તુને સંક્ષેપ છે. કર્તાએ એને મહાકાવ્ય કહ્યું છે તથા પ્રત્યેક સર્ગને અંતે “વીર” શબ્દથી અંકિત હાઈ અમરચન્દ્રસૂરિનું આ કાવ્ય તેમજ એમનું ‘પદ્માનંદ મહાકાવ્ય” અને “વીરાંક' તરીકે ઓળખાય છે. મૂળ મહાભારત ની જેમ “બાલભારત નાં પણ ૧૮ પર્વ છે અને પ્રત્યેક પર્વ સર્ગોમાં વહેંચાયેલું છે; છેલ્લી પ્રશસ્તિસર્ગ સહિત સર્ગોની કુલ સંખ્યા ૪૪ છે. છેલ્લા સર્ગના છેલ્લા શ્લેકમાં જણાવ્યા પ્રમાણે આખી કૃતિનું પ્રસ્થાશ્ર ૬૯૫૦ શ્લેકનું છે. મહાભારત'નું કથાવસ્તુ છે કે એક મહાકાવ્યમાં સમાઈ શકે એ કરતાં ઘણું મોટું છે, પણ સંસ્કૃત આનંકારિકાએ આપેલાં લક્ષણે અનુસાર મહાકાવ્ય ગણું શકાય એવી રીતે તેના આ સારની એજના અમરચન્ટે કરી છે. છેલ્લા સગ સિવાયના પ્રત્યેક સર્ગના આરંભે અમરચન્ટે એક એક શ્લોકમાં વેદવ્યાસની સ્તુતિ કરી છે; અર્થાત આખા ગ્રન્થમાં વેદવ્યાસની સ્તુતિના ૪૩ લેકે છે, જે બતાવે છે કે
૨૩. ઘટસ" નામે દિવ્યમાં, જેમાં સાપ રાખેલે હોય એવા ઘડામાં, હાથ મૂવાની આરોપીને ફરજ પાડવામાં આવતી. પ્રકા (પૃ. ૧૨૫) જણાવે છે કે વસ્તુપાળે રાજ્યનાં નાણુની દુવ્યવસ્થા કરી હોવાનો રાજા વીસલદેવને સંદેહ હોવાથી તે આ દિવ્યમાંથી પસાર થાય એમ રાજા ઈચ્છતો હતો, પણ લવણપ્રસાદે એને એવું કરતાં અટકાવ્યો હતો. જો કે વીસલદેવ રાજા થયો ત્યાંસુધી લવણપ્રસાદ વિદ્યમાન હશે કે કેમ એવો ઐતિહાસિક તથ્યનો પ્રશ્ન અહીં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org