________________
૧૨૮ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ
[વિભાગ ૩
ઉચિત ભવ્યતા પણ ધારણ કરે છે. શ્લેષને પ્રયાગ એમાં જવલ્લે જ થયેા છે, અને એ સમયની સંસ્કૃત કવિતામાં સામાન્ય રીતે પ્રચલિત કૃત્રિમતાથી એ મુક્ત છે. સ્પષ્ટ રીતે, સેામેશ્વર કાલિદાસને પ્રતીકરૂપ ગણે છે, અને ઓછામાં ઓછું તેનું એક કાવ્ય-કાર્તિકૌમુદી’–એવું છે જે કાલિદાસ, ભારવિ અને માધની પછી રચાયેલા સંસ્કૃત કવિતાના સૌથી પ્રસિદ્ધ નમૂના સાથે માનભેર ઊભુ` રહી શકે. ‘સુરથેાત્સવ' મહાકાવ્યના પહેલા સ`માં કાલિદાસની કવિતા માટેને પ્રેમ તેણે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યો છે—શ્રીકાલિદાસની વાણીના વિચાર કર્યા પછી ખીજા કાઇના કાવ્યમાં મારી મતિ રમતી નથી; પારિજાતના ત્યાગ કરીને ભમરાને સમૂહ શું સિન્ધુવારના મુખમાં આનંદ પામે ખરા ? ૬ ‘કીતિ કૌમુદી'ના ખીજા સર્ગ માં ગુર્જર રાજલક્ષ્મીના આત્મવૃત્તાન્ત, એ ‘રઘુવ’શ' (૧૬-૪ થી ૨૪)માંને એ જ પ્રકારને વૃત્તાન્ત, જેમાં ઉર્દૂસ્ત અયેાધ્યાનગરી કુશ રાજાને કુશાવતીમાંથી રાજધાની પાછા અયેાધ્યામાં લઈ જવાની વિનતી કરે છે, એનું અનુકરણ નહિ તે સ્પષ્ટ રીતે અનુરણન છે એ ધ્યાનમાં રાખીએ ત્યારે કાલિદાસ વિશેનું સામેશ્વરનું ઉપર્યુક્ત કથન સૂચક બની જાય છે. કાર્તિકૌમુદી'માંનાં કેટલાંક વના એવા ઉચ્ચ સાહિત્યિક ગુણવાળાં છે કે સંસ્કૃત કવિતાના સર્વોત્તમ નમૂનાઓ સાથે એની તુલના થઈ શકે. અણુહિલવાડ, સહસ્રલિંગ સરોવર અને કીર્તિસ્તંભનું વર્ણન (૧-૪૭ થી આગળ), આપદ્મસ્ત ગુર્જરરાજલક્ષ્મીના વિલાપ (૨૦૮૭ થી આગળ), વસ્તુપાળ ખંભાતના હાકેમ તરીકે ગયેા ત્યારે ત્યાં થયેલા એના સત્કાર (૨-૭ અને ૮) અને શ*ખનેા પરાજય થતાં નાગરિકાએ કરેલા ઉત્સવ ( -૨ થી આગળ ); વસ્તુપાળના દર્શન માટે ત્વરા કરતી સ્ત્રીનું વન ( ૯-૧૬ થી આગળ ), જે અશ્રદ્દાષ, કાલિદાસ અને માધમાં આવતાં એ પ્રકારનાં વહુનાની યાદ આપે છે; ચન્દ્રોદયનું આહ્લાદક વર્ણન (૭) અને સંધયાત્રાનું વિગતભરપૂર વર્ણન (૯) એ આ પ્રકારનાં કેટલાંક ઉદાહરણ છે. વસ્તુપાળ અને લવણુપ્રસાદના ટૂંકા સંવાદ ( ૩-૫૯ થી આગળ ) એ ‘ શિશુપાલવધ ' અને ‘ કિરાતાર્જુનીય ના પ્રારભમાં મળે છે એવા, રાજનીતિની મહત્ત્વની ચર્ચા કરતા સત્ત્વશીલ કાવ્યમય સંવાદનું ઉદાહરણ છે.
૧૪૬, અહીં ‘ કીર્ત્તિકૌમુદી ' માંથી ઘેાડા લેાક ટાંકવાનું ઉચિત થઈ પડશે. સામેશ્વરની કાવ્યકલાને કઈક ખ્યાલ એ શ્લોકા આપી શકશે.
૬. સુ૭, ૧-૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org