________________
પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૮૧ વિશે પ્રશસ્તિમાં કઈ કહ્યું નથી, પણ એને આશીર્વાદ આપવામાં આવ્યા છે, જે સૂચવે છે કે ગંગાધર આ સમયે નાની વયને હોવો જોઈએ.
નાનાક અને વિસલદેવ ૮૭. વીસલદેવની નાનાક ઉપર ઘણી કૃપા હતી. પ્રભાસમાં પોતે બંધાવેલ વીસલ બ્રહ્મપુરી નામે બ્રાહ્મણના નિવાસની પાસે તેણે નાનાકને એક મહાલય આપ્યું હતું, અને એ રીતે તેણે નાનાકને એ તીર્થસ્થાનને નિવાસી બનાવ્યા હતા. સોમનાથની પૂજા કરતી વખતે વીસલદેવે નાનાકને વગસરા (અત્યારનું બગસરા) ગામ દાનમાં આપ્યું હતું. આના બદલામાં, રાજા વિદ્યમાન હતું ત્યારે નાનાક એને પુરાણોની કથાઓ સંભળાવતો હતો અને એના અવસાન પછી પ પ એનું શ્રાદ્ધ સરાવતે હતે. નાનકે કરેલી સેમિનાથની પૂજાથી પ્રસન્ન થઈને સોમનાથના મઠપતિ વીરભદ્ર મંગલગ્રામ(માંગરોળ)ની ઊપજને સાતમો ભાગ એને આ હતા. નાનાક અતિથિઓને સારે સત્કાર કરતો તથા સુપાત્ર સગાંવહાલાં અને મિત્રોને છૂટે હાથે દ્રવ્યની સહાય આપત.
કવિઓને આશ્રયદાતા નાનક ૮૮, નાનાક, એના કુટુંબ અને પૂર્વજો વિશે આપણને આમ પૂરતી વિગતે મળે છે. એની સમૃદ્ધિ અને વિદ્યાપ્રિયતા એ કેવળ પ્રશસ્તિકારની અતિશયોક્તિ નથી, એ તેણે સરસ્વતી સદસ સ્થાપ્યું એ હકીકત બતાવે છે. બીજા કવિઓને પણ તે આશ્રય આપતો હતો. એની પહેલી પ્રશસ્તિ રત્નના પુત્ર અને “કુવલયાધુચરિત”ના કર્તાના પૌત્ર કવિ કૃષ્ણ રચેલી છે; આ કૃષ્ણના અષ્ટાવધાનથી ખુશ થયેલા લેકાએ એને “બાલસરરવતી ” બિરૂદ આપ્યું હતું. નાનાકની બીજી પ્રશસ્તિ “ધારાવંસ 'ના કર્તા ગણપતિ વ્યાસે રચેલી છે (પેરા ૭૮).
નાનાકની કવિતા ૮, પ્રશસ્તિઓમાં નાનાકની કવિત્વશક્તિ વિશે ઘણું કહેવામાં આવ્યું છે, પણ એની એકેય સળંગ કૃતિ અત્યારે મળતી નથી. વંથળીમાંથી મળેલો એક પ્રશસ્તિલેખ ૧ નાનાકની રચના જણાય છે, કેમકે કર્તા પિતાનું વતન આનંદપુર, ગોત્ર કાપિક્કલ અને પિતાનું નામ ગોવિન્દ આપે છે. લેખની છેલ્લી પંક્તિ અર્ધી જ કોતરવામાં આવી છે, એટલે લેખ અપૂર્ણ રહે છે અને કર્તાનું નામ જાણું શકાતું નથી. પહેલી પંક્તિ ઘસાઈ ગયેલી
૬૧. ઍનાલ્સ, પુ. ૧, પૃ. ૧૭૧; ગુએલ, નં. ૨૨૫ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org