SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ એકસા ત્રણમુ તીવ્ર અસાતાઉદયમાં પરમ અદ્દભુત સમતાઃ અવ્યાબાધ સ્થિરતા આવા દીઘ અને તીવ્ર અસાતાઉયમાં પણ સ્વરૂપસમવસ્થિત શ્રીમદ્ભુની સમતા પરમ અદ્ભુત હતી,—મહામુનીશ્વરાને પણ દુČભ એવી સત્ર સમરસવૃત્તિ અલૌકિક હતી, સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત શ્રીમને દેહવ્યાધિ મધ્યે પણ સહુજ આત્મસમાધિદશા અનુપમ હતી, અત્રે પત્રે પત્રે ‘શાંતિ' શબ્દથી સૂચિત થતી શ્રીમની આત્મશાંતિ અપૂર્વ હતી, અને આમ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સ જ્ઞાનના સાર શ્રી સન્ને કહ્યો છે' (અ. ૫૯૩)—એ સર્વ જ્ઞાનના સાર પામી ચૂકેલા આ સાક્ષાત્ પ્રયાગસિદ્ધ સમચસાર શ્રીમદ્નની શરીરની આવી અસ્વસ્થ સ્થિતિમાં પણ આત્મસ્વસ્થતા અનન્ય હતી. આ અશાતાઉદયમાં પણ શ્રીમની પરમ અદ્ભુત સમતાનું દિગ્દર્શન આ પ્રકરણમાં કરશું. સાતા-અસાતાને ઉડ્ડય વેદનીય કર્માંને આધીન છે અને તે પરમ વીતરાગને પણ વેઢવા જ પડે છે. રાગના ઉય અસાતાઉદયમાં સમાવેશ પામે છે, એટલે વીતરાગને પણ તે વેદવેા પડે છે. સ્વયં શ્રીમદ્દે કહ્યું છે તેમ—જે વેદના સુદૃઢ બંધથી જીવે ધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, કે જિનેન્દ્ર પણ રોકવાને સમથ` નથી. તેના ઉદય જીવે વેઢવા જ જોઇએ.' (મ. ૯૨૭). ‘પૂર્વ ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રાગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિબળ, મંદ, મ્લાન, ઉષ્ણુ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે. વિશેષ રામના ઉન્નયથી અથવા શારીરિક મબળથી જ્ઞાનીનું શરીર કપાય, નિČળ થાય, મ્લાન થાય, મોં થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદિના ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે એધ અને વૈરાગ્યની વાસના થઇ હાય છે તે પ્રમાણે તે રાગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.’ (મ. ૫૬૭). એટલે ‘રાગ વિના રાગ હાય નહિં એવું અસમંજસ વિધાન જાણ્યે-અજાણ્યે કાઈ કરતું હાય તેા તે વિધાન કેવલ ભ્રાંતિમૂલક અને એકાંતિક હાઈ મિથ્યા છે, કેવખ અસત્પ્રરૂપણારૂપ છે. તેમ સહસા વચન કહેનાર કે પ્રરૂપનાર કર્મ ને કર્મના સિદ્ધાંતથી સČથા અનભિજ્ઞ છે. આઠ પ્રકારના કર્માંમાં વેઢનીય’નામનું ક્રમ છે તેના બે ભેદ છે—સાતા વેઢનીય અને અસાતા વેઢનીય. એમાંથી સાતા કે અસાતા વેદનીયના ઉદય પરમ વીતરાગ કેવલજ્ઞાનીને પણ હેાય છે; અસાતાવેદનીયમાં રોગના અંતર્ભાવ થાય છે, એટલે વીતરાગ કેવલજ્ઞાનીને પણ રાગના ઉદય સ`ભવે છે. વીતરાગ જ્ઞાનીને ભલે અસાતાવેદનીયના અંગરૂપ આ રાગના ઉદય હાય, પણ તેમાં પણ તેને નિરંતર સમતા જ વર્તે છે. જે દ્વારા જીવ સમયે સમયે વેદના જ વેદે છે તે શરીરને તે વેદનાની મૂર્ત્તિ જ જાણે છે, અને સમભાવ ભાવી શાંત ભાવે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy