________________
શુદ્ધ ચૈતન્ય ધ્યાન
બ૩ નિજવભાવરૂપ છે. સ્વતત્વભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે.” (હાથોંધ ૩-૮). આ કેવળજ્ઞાન કેમ થાય તેનું અનન્ય ચિંતન શ્રીમદ્દ કરી રહ્યા છે-“કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યક્ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઈન્દ્રિય સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, અને અચલ કરી, ઉપગથી ઉપગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. (હા. નં. ૩-૯). સર્વ પદ્રવ્યમાં એક સમય પણ ઉપગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.” (હાથનેધ ૨-૯). એમ કેવળજ્ઞાનનું અનન્ય તમન્નાથી ધ્યાવન કરતા પરમ ભાવિતાત્મા શ્રીમદ્ જિનસદશ ધ્યાનનું અનન્ય ભાવન કરી રહ્યા છે–અકિંચનપણથી વિચરતાં એકાંત મૌનથી જિનસદશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ.” (હા. નં. ૧-૮૭). અર્થાત્ પિતાનું કાંઈ પણ જ્યાં રહ્યું નથી એવા અકિંચનપણાથી–પરમ નિષ્પરિગ્રહપણથી વિચરતાં એકાંત મૌનથી જિનસદશ-જિનકલ્પ-જિનતુલ્ય ધ્યાનથી, જિન ભગવાનનું જેવું ધ્યાન છે તેવા તે તુલ્ય ધ્યાનથી હું તન્મય–તદાકાર-તકૂપ આત્મસ્વરૂપ એ ક્યારે થઈશ? આ સર્વજ્ઞ વિતરાગ જિનસ્વરૂપનું-સહજ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન એ જ પિતાનું પરમ અભિપ્રેત છે એમ દર્શાવતાં શુદ્ધ ચૈતન્યધ્યાનનિમગ્ન શ્રીમદૂહાથોંધ (૨–૧)માં વધે છે રાગદ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. અર્થાત્ શ્રીમદ્ નિરંતર સ્મરણ આ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ જિનસ્વરૂપનું જ કરી રહ્યા છે, ધ્યાન પણ એનું જ કરી રહ્યા છે, અને પામવા ગ્ય સ્થાન પણ એને જ ધારી રહ્યા છે. આમ જેના શુક્લ શુદ્ધ આત્માના પ્રદેશ પ્રદેશે શુક્લશુદ્ધ ચૈતન્યના ધ્યાનને જ પરમાવગાઢ રંગ લાગ્યા છે એવા પરમ ભાવિતાત્મા શ્રીમદ, શુદ્ધ ચૌતન્યપ્રાણ પુરુષોને અભેદભાવે આવા પરમ ભક્તિપૂર્ણ ભાવનમસ્કાર
“શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાને જે પુરુષે માર્ગ પામ્યા છે તે પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર.” હાથોંધ ૨-૩. જ આમશુદ્ધ ચૈતન્યના-શુદ્ધ ચૈતન્યમૂત્તિ જિન ભગવાનના જિનસદશ ધ્યાનથી નિરંતર વિચરતા ધ્યાનમગ્ન અવધૂત વિદેહી શ્રીમની ધ્યાનદશા કેવી હતી તે આ તેમના ટેકેલ્કીર્ણ અનુભવવચન પ્રકાશે છે–
“આત્યંતર ભાન અવધૂત,
વિદેહીવત,
જિનકપીવત. | સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, અ-૨૦