________________
પ્રકરણ નવાયું
શ્રીમની અપ્રમત્ત યોગધારા આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્ત યોગ –શ્રીમદ્ રાજચંદ્ર
વ્યાપાર-વ્યવસાયાદિ પરિગ્રહકાર્ય પ્રપંચમાંથી અને ગૃહવ્યવહારાદિ બાહ્ય સંગપ્રસંગ ગથી નિવૃત્ત થઈ સર્વસંગપરિત્યાગ ભણી દોટ મૂકી રહેલા શ્રીમદ્ પ્રારંભથી જ ભાવથી તે અસંગ નિથ હતા જ, એ આપણે પૂર્વ પ્રકરણમાં સવિસ્તર અવલેકયું જ છે; હવે માત્ર બાહ્ય વેષધારણ શિવાય બાકી સર્વ પ્રકારે દ્રવ્યથી પણ અસંગ નિગ્રંથ થઈ રહ્યા હતા; અને “ધન્ય રે દિવસના ધન્ય કાવ્યમાં ભાખેલી “થશે અપ્રમત્ત ગ રે? એભવિષ્યવાણી પ્રમાણે, અને તે જ દિને લખેલી “અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચવું એ હાથોંધમાં લિખિત પ્રતિજ્ઞા પ્રમાણે અપ્રમત્ત યોગની સાધનામાં અખંડ એકનિષ્ઠાથી પ્રવૃત્ત થયા. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ સ્થિતિરૂપ સાક્ષાત્ સહજાન્મ
સ્વરૂપને વિષે અપ્રમત્ત સહજામસ્વરૂપસ્વામી શ્રીમદ્દની આ અપ્રમત્ત ચગધારાનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું.
અત્રે અપ્રમત્ત એટલે શું? એ પ્રથમ વિચારવા યોગ્ય છે અને તે વિચારવા માટે પ્રમાદ–અપ્રમાદનું સ્વરૂપ સમજવું યોગ્ય છે. આ પ્રમાદ એટલે આળસુપણું એ માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે આત્મસ્વરૂપથી પ્રમત્તપણું, ચુતપણું, ભ્રષ્ટપણું. આત્માનું સ્વરૂપથી ચૂકવું તે પ્રમાદ. એટલે જે કંઈ વડે કરીને જીવ પિતાની સ્વરૂપસ્થિતિથી પ્રમત્ત થાય, ભ્રષ્ટ થાય, તે પણ પ્રમાદ એ તેને વિશાળ અથ છે. આત્માના સ્વરૂપથી નિપાત-નીચે પડવું, અધઃપતન થવું, તે સન્નિપાત એ જ મુખ્ય પ્રમાદ છે, અને આ સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતથી જ જીવને રાગ-દ્વેષ-મેહ એ ત્રિદેષ સન્નિપાતરૂપ અન્ય પ્રમાદ લાગુ પડે છે. મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પંચ પ્રમાદ પણ આ સ્વરૂપભ્રષ્ટતારૂપ મુખ્ય પ્રમાદનું જ પરિણામ છે; અથવા આ પંચ પ્રમાદ આત્માને સ્વરૂપભ્રષ્ટ કરનારા કારણરૂપ પણ છે. આમ આ સર્વ પ્રમાદપ્રકારને સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ સાથે પરસ્પર કાર્યકારણ સંબંધ છે. આ પ્રમાદને અભાવ તે અપ્રમાદ. એટલે આત્માના સ્વરૂપથી પ્રમત્ત-ટ્યુત-ભ્રષ્ટ ન થાય તે અપ્રમત્ત એટલે કે આત્માના સ્વરૂપથી પ્રમત્ત-ટ્યુત- ભ્રષ્ટ ન થતાં જે આત્માના સહજ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે-સ્વસ્થ રહે, સ્વમાં-આત્મસ્વરૂપમાં સ્થિતિરૂપ સ્વસ્થતા ધારે તે જ અપ્રમત્ત. અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિતિરૂપ સ્વસ્થતા એ જ સમાધિ, આત્મસ્વરૂપમાં અસ્થિતિરૂપ અસ્વસ્થતા એ જ અસમાધિ; આત્મપરિણામની સ્વસ્થતા એ જ ધર્મ, આત્મપરિ. ણામની અસ્વસ્થતા એ જ કર્મ અને કર્મ એ જ પ્રમાદ, અકર્મ એ જ અપ્રમાદ– અપ્રમત્ત સ્થિતિ અને આમ આત્મસ્વરૂપમાં જે જાગૃત-અપ્રમત્ત હોય તે જ મુનિ, ન