SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ઇડરના પહાડ ગજાવતે સિદ્ધ ગી ને પછી આંબા તળે અમે ઉભા હતા. ત્યાં એકદમ દર્શન દીધા. અને પછી તેમની જે વાણી ડુંગરમાંથી નીકળતી અમે સાંભળી તે ગાથાઓ આંબા તળે કૃપાનાથ અડધા કલાક સુધી એકાંતરમાં ખૂબ જેસથી ઉચ્ચાર કરતા હતા. તે પછી જોગ સંકેચતા સ્થિરભૂત થઈ ગયા. તે અડધા કલાક સુધી સ્થિરપણે ધ્યાનમાં રહ્યા. તે ગાથા નીચે પ્રમાણે– x मा मुज्झह मा रजह, मा दुस्सद्द इणिभट्टेसु । थिरमिच्छहि जह चित्तं विचित्तज्झाणप्पसिद्धीप ॥ जं किंचिवि चितंतो णिरीहवित्तो हवे जदा साह । लद्धणय पयत्तं तदा हु तं तस्स णिच्छयं ज्झाणं । मा चिट्ठह मा जंपह, मा चितह किंचिवि जेण होई थिरो। અge અધ્વનિ તો, મેર / દલે રાખે છે (દ્રવ્યસંગ્રહ) પછી ધ્યાન પારી પિતે પધાર્યા. અમે એમ જાણ્યું કે કૃપાનાથ લઘુશંકાદિ કારણે જાય છે, પણ તે તો નિસ્પૃહપણે ચાલ્યા જ ગયા. અને અમે જેવા લાગ્યા કે જ્યાં ગયા પણ જણાઈ આવ્યા નહીં. પછી અમે થાકીને ઘણા પશ્ચાત્તાપપૂર્વક મુકામે ચાલ્યા આવ્યા. તે જ દિવસે બપોરે ઠાકરશીને શ્રીમદે મુનિઓ પાસે મોકલ્યા અને કહ્યું કે મુનિઓને ઈડરના ગઢ ઉપર દેરાસર લઈ જાઓ.” એટલે ઠાકરશીએ દિગંબર–વેતાંબર બને દેરાસરો ઉઘડાવી મુનિઓને જિનપ્રતિમાજીનાં દર્શન કરાવ્યાં. આટલા વર્ષોનેનવા વર્ષને પરિચય છતાં શ્રીમદે મુનિઓને જિનપ્રતિમાજીના દર્શન કરવાની આજ્ઞા પ્રથમ અત્રે કરી. મુનિઓને જિનપ્રતિમાજીના દર્શનથી બહુ ઉલ્લાસ થયે; ત્યાં શ્રીમદ જે જે સ્થળે વિચાર્યા હતા તે તે સ્થળ ઠાકરશીએ બતાવ્યા તે દેખીને અને ત્યાંની શ્રીમદની ચર્ચા સાંભળીને ઘણે જ આનંદ થયો. દેવકરણુજીને પત્ર લખાય કે કેમ એ પૂછતાં ઠાકરશીએ જણાવ્યું-પત્ર લખાય છે, એકલા નથી. ત્યાં તે તે જ સાંજના મુનિ દેવકરણજી આદિ ચાર મુનિઓ પણ આવી પહોંચ્યા. - ત્રીજે દિવસે મુનિ દેવકરણજી આદિ આવી ગયા હેઈ, સાતે મુનિએ તે જ સાંકેતિક આમ્રવૃક્ષ તળે આજ્ઞા પ્રમાણે આવ્યા. શ્રીમદ્દ પણ ત્યાં પધાર્યા,“તે પણ અપૂર્વ ધ્વનિને ગુંજારવ કરતા કરતા ત્યાં પધાર્યા.” મુનિ દેવકરણુજીનું શરીર કુશ હવાથી શિયાળાની ટાઢને લઈ ધ્રુજવા લાગ્યું, એટલે મુનિ લક્ષ્મીચંદજીએ તેમને કપડું ઓઢાડયું. તે જોઈ શ્રીમદે કહ્યું-“ટાઢ વાય છે? ટાઢ ઉડાડવી છે ? એમ જાણે ભવની * અર્થ – વિચિત્ર-નાના પ્રકારના અથવા વિચિત્ત-વિગતચિત્ત નિર્વિકલ્પ ધ્યાનની પ્રસિદ્ધિપ્રકૃષ્ટ સિદ્ધિને અંગે જે તું ચિત્ત સ્થિર ઈચ્છે છે, તો ઈષ્ટ-અનિષ્ટ અર્થોમાં મોહ મ કર, રાગ મ કર, દેવ મ કર. જે કંઇ પણ ચિંતવતાં સાધુ એકત્વ પામીને જ્યારે નિરીહતિ–નિઃપૃહ નિરિ૭ વૃત્તિવાળા થાય, ત્યારે નિશ્ચય કરીને તે તેનું નિશ્ચય ધ્યાન છે. મ ચેષ્ટા કરે, મ જલ્પ (બેલ), કંઈ પણ મ ચિંતવે,–કે જેથી આત્મામાં રત આત્મા રિથર હોય છે, આ જ પરમ ધ્યાન હોય.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy