________________
અધ્યાત્મ રાજચંદ્ર
મારી બહુ ભૂલ થઈ ગઈ, ઘણે જ પશ્ચાત્તાપ થયે, સાહેબજીને ડંખ પડવાથી ઘણું જ લેહી નિકળ્યું હતું અને પગની ચામડી ઉખડી ગઈ હતી, અને તેમાં ધૂળ ભરાઈ ગઈ હતી, પણ આ દેહનિરપેક્ષ આત્મમગ્ન ગીન્દ્રને તેને લક્ષ પણ નહોતે. પછી મહાભક્તિમાનું મેતીલાલે સાચવીને ચામડી ઉખેડી ધૂળ કાઢી સાફ કર્યું', આ અવધૂતને પિતાના જૂના પગરખાં પહેરાવ્યાં અને નવાં પગરખાં પિતે ઉંચકી લીધા, ભક્તિભાવથી અજાણતાં પિતાની ભૂલથી સાહેબજીને ઈજા થઈ તેને રસ્તામાં ખેદ કરતા મોતીલાલ જતા હતા. સાહેબજીને આટલી બધી ઈજા થઈ હતી છતાં તેમની ચાલમાં કિંચિત્ માત્ર પણ ફેરફાર હતો નહીં તેથી મોતીલાલને ઘણું આશ્ચર્ય લાગ્યું અને સાહેબજીને પૂછયુંસાહેબજી, આપને પગરખાં ડંખવાથી તીવ્ર વેદના થતી હશે અને તેથી કરી ઉપયોગમાં ફેરફાર થતો હશે. સાહેબજીએ કહ્યું-સતપુરુષના ઉપયોગમાં દેહનો ભય નથી, દેહના ભાવમાં ઉપયોગ થતો નથી. તમે ઉપગ સંભારી આપે છે. આગળ ચાલતાં લીંબડાના ઝાડ પર એક વાંદરો બેઠે હતું, તે જોઈ સાહેબજી હસ્યા અને બોલ્યા–મહાત્મા છે, પરિગ્રહરહિત છે, અપ્રતિબંધ છે, પણ એમ મેક્ષ નથી હે ! પછી નરસિંહરામને બંગલે પધાર્યા. બીજે દિવસે ખેડાના વનમાં સાથે જતા મોતીલાલને શ્રીમદે પૂછયું– તમે અમારી પાછળ પાછળ કેમ આવે છે? મોતીલાલ–સાહેબ, કલ્યાણની ઈચ્છાએ. શ્રીમદ્દ –તમે કેમ જાણ્યું કે અમે તમારું કલ્યાણ કરશું ? મોતીલાલ–આ૫ સપુરુષ છે તેથી. શ્રીમદ્દ–તમે કેમ જાણ્યું કે અમે પુરુષ છીએ. મેંતીલાલ–સાહેબ, અમે ઓળખીએ છીએ. આ સંસારમાં બીલકુલ સુખ નથી. આપ તરફથી દુનિયાદારીને કાંઈ અર્થ સરે તેમ નથી, ખાવાપીવાની લાલચ નથી, તથા પિસા વગેરેની લાલચ નથી, તો આપની પાછળ અમે શું કલ્યાણના નિશ્ચય વિના ફરતા હશું?
ખેડાના એક વેદાંતી પૂજાભાઈ સેમેશ્વર ભટ્ટ શ્રીમદના સત્સંગપ્રસંગના એક બે પ્રસંગ નોંધે છેઃ મેં પૂછ્યું–આત્મા છે? શ્રીમદે તરત જ જવાબ આપે –આત્મા છે. મેં પૂછ્યું–અનુભવથી કહે છે કે આત્મા છે? શ્રીમદે કહ્યું–હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે; તે પણ અનુભવગેચર છે, પણ તે છે જ. તેમનું કહેવું મને સત્યવક્તાના જેવું લાગ્યું અને તેમના બોલવા પર મને શ્રદ્ધા થઈ. બીજે પ્રસંગે હું ગયો ત્યારે શ્રીમદ્જી એક પુસ્તક વાંચતા હતા. તેમની વૃત્તિ ઘણી જ શાંત જણાતી હતી. પુસ્તકમાંથી એક શ્લોક મને વારંવાર કહી બતાવ્યું. તેને ભાવાર્થ એ હતો કે, મારૂં ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કઈ મૃગ પણ એનાં શીંગ મને ઘસે, મને જોઈ નાશી ન જાય! આ પ્રસંગ સમજાવતાં તેમને ઘણે જ આનંદ આવતો હતો અને તે વાત વારંવાર વાંચીને મને સમજાવી, તેમ જ બીજા પ્રશ્નો પણ આ વેદાંતીએ શ્રીમદને પૂછયા હતા, તેના પણ શ્રીમદે આવા સચોટ સ્પષ્ટ અવિસંવાદી દઢ આત્મનિશ્ચયાત્મક ઉત્તર આપ્યા હતાઃ (૧) પ્રશ્ન-જીવ એક છે કે અનેક છે? આપના