SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર વસો વનક્ષેત્રસ્થિતિ દરમ્યાન આવી અપ્રમત્તગણુ આરહણની અને અપ્રમત્ત આત્મસંયમધારાની ગવેષણ કરતા શ્રીમદ્દ પોતાની આત્મપુરુષાર્થ જાગૃતિ અર્થે વીતરાગ પુરુષના અદૂભુત અપ્રમત્ત યોગની ને આત્મસંયમધારાની સ્મરણ કરી રહ્યા હતા, અને તે અર્થેની પરમ ભવ્ય પરમ ઉદાત્ત ધારણ ધરી રહ્યા હતા. આમ વસો ક્ષેત્રે એક માસ સ્થિતિ કરતાં શુદ્ધ આત્મસંયમયેગની અપ્રમત્તદશા દર્શાવી અને મુમુક્ષુઓને ગબીજની વૃદ્ધિ કરનારા ધર્મમેઘની વર્ષા વર્ષાવી યથાભવ્ય પરમાર્થ ધર્મલાભ આપી પરમ અસંગ ભાવનિગ્રંથ શ્રીમદ્દ ઉત્તરસંડાના વનક્ષેત્ર પ્રત્યે પ્રયાણ કરી ગયા. ઉત્તરસંડા વનક્ષેત્ર સંતસેવામાં સદા તત્પર ભક્તિમાન્ મેતીલાલભાઈ ભાવસારે આજ્ઞાનુસારે નડિયાદથી લગભગ બે માઈલ દૂર ઉત્તરસંડાના વનમાં એકાંત નિર્જન સ્થળે તળાવડીના કાંઠે બાગની મધ્યે એક નાનકડી બંગલી શોધી રાખી હતી. ત્યાં શ્રીમદ પધાર્યા. સાથે અંબાલાલભાઈ, લહેરાભાઈ, મોતીલાલભાઈ એ ત્રણ મુમુક્ષુ જન હતા, બીજા કેઈને આવવાની આજ્ઞા ન હતી. લહેરાભાઈ દશ દિવસ રહ્યા પછી શ્રીમદ્દની આજ્ઞા થવાથી ઘેર ગયા, અને અંબાલાલભાઈ પંદર દિવસ પછી ગયા. મોતીલાલભાઈ ગાડું જોડાવી લાવ્યા ને સામાન ભરી ગાડું હંકાવ્યું, ત્યાં અંબાલાલભાઈએ દર્શનની આજ્ઞા મેળવવા મેતીલાલને મોકલ્યા; આજ્ઞા મળતાં શ્રીમદ્રના દર્શન કર્યા અને ફરી દર્શન ન થાય ત્યાંસુધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી ચાલી નિકળ્યા. હવે એક માત્ર મોતીલાલ જ શ્રીમદની સેવામાં રહ્યા. મેંતીલાલે માત્ર પોતાને માટે એક ગાદલું તથા એક પાણીને લેટે રખાવ્યો હતો, બાકી બધો સરસામાન રવાના કરાઈ ગયા હતા. - રાત્રે પિતા માટે રખાવેલું ગાદલું મેતીલાલે હીંચકા પર પાથયું. રાતના આશરે સાડા દશ વાગ્યે શ્રીમદ્ વનક્ષેત્રમાં ધ્યાન ધરી મુકામે પધાર્યા, અને પૂછયું–ગાદલું કયાંથી લાવ્યા? મોતીલાલ–મેં મારા માટે એક ગાદલું રખાવ્યું હતું. શ્રીમદ્ગાદલું તમે લઈ લે. મેંતીલાલે ઘણે આગ્રહ કર્યો, તેથી રહેવા દીધું. થોડીવાર પછી ગાદલું હીંચકા પરથી પડી ગયું. રાત્રે મચ્છર બહુ કરડવાથી મોતીલાલ પોતાની પેટીમાંથી એક બસ તથા ધોતીયું કાઢી લાવ્યા ને સાહેબજીને ઓઢાડ્યા. અંબાલાલભાઈએ મોતીલાલને વારંવાર દેખભાળ કરતા રહેવાની સૂચના કરી હતી એટલે દોઢેક કલાક પછી સાહેબજીને જોવા માટે મેતીલાલ બહાર આવ્યા ને જોયું તો શ્રીમદ્જી ગાથાઓની ધુનમાં તલ્લીન હતા, બનુસ તથા ધોતીયું શરીર પરથી ભેય પર પડી ગયા હતા, તે ફરી ઓઢાડ્યા. શ્રીમદને શરીરની બીલકુલ દરકાર નહતી,-દેહભાન પણ ભૂલી ગયા હતા અને ગાથાઓની ધૂનમાં તલ્લીન હતા. પ્રાતઃકાળે શ્રીમદ્દ વનમાં ગયા ને બે કલાક પછી બંગલીએ પધાર્યા, ને હીંચકા પર બિરાયા; પછી મેડા ઉપર એક શેતરંજી પાથરી હતી ત્યાં પધાર્યા. મોતીલાલ એક પુસ્તક પાસે મૂકી નીચે આવી બેઠા. બાહ્યભાવનિરપેક્ષ શ્રીમદ્ સ્વાધ્યાયધ્યાનમાં લીન થયા. બપોરે એક પટેલ ગામમાંથી મોતીલાલ પાસે આવ્યા અને
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy