SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ અધ્યાત્મ રાજચંદ્ર ન હોય ત્યાં લગી ભલે દેહ છૂટી જાય તો પણ તે માટે લેશ પણ ઉતાવળ કરવી જ નથી એ તેમને દઢ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે, અને એટલે જ તે માટે પરિગ્રહાદિત્યાગને વિચાર તેમને નિત્ય રહે છે એ સ્પષ્ટ જણાવે છે– “કેમ કે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દઢ કલ્પના હોય તે પણ, માર્ગ ઉપદેશો નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વસે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનું વિચારી રહ્યા કરે છે.” ત્યારે આ યથાયોગ્યતાની બાબતમાં પોતાની શી સ્થિતિ છે—શી દશા છે તે પિતાની તે વખતની આત્મદશાનું યથાર્થ પ્રમાણિક માપ કરનારા પરમ પ્રામાણિક શ્રીમદ્દ પૂર્ણ નિખાલસતાથી પ્રકારો છે—મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપે હોય તે મારી દશા યથાયોગ્ય છે, પણ જિક્ત ધર્મ સ્થાપ હોય તે હજુ તેટલી ગ્યતા નથી, તે પણ વિશેષ ચગ્યતા છે, એમ લાગે છે.” અને આમ કહેવાનું કારણ શું તેને માર્મિક ખુલાસે આ અમૃતપત્રના પ્રારંભમાં જ મૂકેલા–તે વખતની પિતાની આત્મદશાને પ્રકાશ કરતા-આ શબ્દોમાં પ્રાપ્ત થાય છ–જેના દર્શનની રીતિએ જોતાં સમ્યગદર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જેનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનને તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય.” આમ વ્યાખાભેદ છે એટલે જેનદષ્ટિએ જોતાં તે પ્રયત્ન પણ સફળ ન “દેખાય” એમ અત્રે કહ્યું છે, તે સૂચવે છે કે આ વ્યાખ્યામાં કઈ મેટે ભેદ છે અને તેમાં કઈ ઊંડું રહસ્ય રહ્યું છે. આમ માર્ગ પ્રકાશન માટે વેદાંતદષ્ટિએ પિતાની તેવી પૂરેપૂરી યથાયોગ્યતા છે, અને જેનદષ્ટિએ પણ “વિશેષ” બીજા કોઈમાં પણ હોય તે કરતાં વધારે વિશિષ્ટ પ્રકારની વિશેષ ગ્યતા છે, છતાં તે દષ્ટિએ પણ પૂરેપૂરી થાયોગ્યતા માટે પ્રયત્ન–આત્મપુરુષાર્થ ચાલુ જ છે. એમ પિતાનું આત્મસંવેદના વ્યક્ત કરતા નિકારણકરુણરસસાગર પરમ કૃપાળુ શ્રીમદે આ અમૃતપત્રમાં નિષ્કારણ કરુણાથી મૂળમાર્ગઉદ્ધારની-મૂળમાર્ગઉદ્યોતની પોતાની પરમ ઉદાત્ત ભાવ અને શ્રીમદૂને આ હૃદયના પડદા ભેદી નાંખે એ હૃદયભેદી ઉદ્ઘેષ સાંભળી સકર્ણ જનોના અંતરોદુગારને પ્રતિષ થાય છે કે–અહો કરુણવતાર રાજચંદ્ર! આપે સમાજની કરુણ સ્થિતિનું હૃદયદ્રાવક આલેખન કર્યું તે અક્ષરે અક્ષર પરમ સત્ય છે. આપે અત્રે વેદોક્ત માર્ગમાં થોડે થોડે અંતરે ધર્મપ્રભાવક થાય છે અને જેમાં તેમ ઘણો વખતથી થયું નથી એમ પોકાર્યું, પણ અમારા હૃદયમાં સામો પિકાર ઊઠે છે કે આ હજાર વર્ષના ગાળાને અંગ વાળી ઘે એ આપ જે પરમ સમર્થ પરમ મહાપ્રભાવક કલ્પવૃક્ષ પોતાના આંગણે ઉગ્યો, પણ અમે આપને ઓળખ્યા નહિં, પૂર્ણ પ્રેમથી વધાવી લઈ મને વાંચ્છિત લાભ ઉઠાવ્યો નહિં, એ અમારાં મહાદુર્ભાગ્ય ! બીજા સંપ્રદાયમાં તે કઈ મહાપુરુષ પિતાના આંગણે પાકે તે તેનું પરમ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy