________________
કેવળજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા ગ્ય છે” એમ વિશેષપણે પ્રેરે છે. આ પત્રના ઉત્તરમાં શ્રી સૌભાગ્ય વગેરેએ પોતાના વિચાર જણાવ્યા છે તેને ઉલ્લેખ કરી શ્રીમદ્ પત્રાંક ૬૨માં જણાવે છે કેવળજ્ઞાન આ કાળમાં હોવા ગ્ય છે કે કેમ? તેનો ઉત્તર (સૌભાગ્યભાઈએ) એમ લખ્યો કે “પ્રમાણથી જોતાં તે હવાગ્ય છે.” એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવા ગ્ય છે. એ ચોથા પ્રશ્નને વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશે કે જે પ્રમાણે જેનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાન સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા ગ્ય છે કે કેમ ? કિંવા જેનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઇ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હેવા ચગ્ય છે તથા સમજવા છે? આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા ચગ્ય છે.”
આમ ઊહાપહાથે તત્વજિજ્ઞાસા ઉત્તેજિત કરતી વારંવાર વિચારપ્રેરણા કરી, સૌભાગ્ય પરના પરમ અમૃતપત્રમાં (અં. ૬૭૯) કેવલજ્ઞાનની અપૂર્વ વ્યાખ્યા પ્રકાશમાં શ્રીમદ સર્વાગી સમાધાન દર્શાવે છે. પત્ર પ્રારંભમાં શ્રીમદ્દ નિરાવરણ જ્ઞાન શું? તેને પરમ પરમાર્થ પ્રકાશે છે – જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટયો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમિતા વર્તતાં નથી, તથા ઉપગ સ્વભાવમાં પરિણમે છે, અથત જ્ઞાનસ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે.—કેવલજ્ઞાન નિરાવરણ કહેવાય છે તે પરિપૂર્ણ સત્ય છે, પણ સામાન્યપણે વર્તમાન પ્રરૂપણામાં તેની વ્યાખ્યા મુખ્ય પણે ય એવા જગતને અનુલક્ષીને કરવામાં આવે છે, એટલે આ યલક્ષી વ્યાખ્યા તે પરલક્ષી છે, અને તે પણ સત્ય છે, છતાં તે પરથી મૂળ જ્ઞાયકલક્ષી–આત્મલક્ષી સ્વલક્ષી વ્યાખ્યા શી છે તેને ખુલાસો થતું નથી, સર્વ સેયને જાણનારા જ્ઞાયક આત્માની સ્વરૂપસ્થિતિ શી છે તે સ્પષ્ટ થતી નથી. તે નિરાવરણ જ્ઞાનને પામેલા કેવલજ્ઞાની ભગવાનની પિતાની આત્માની સ્થિતિ શી છે? તેની જ્ઞાયકલક્ષી–અપૂર્વ આત્મલક્ષી વ્યાખ્યા પરમ આમષ્ટા શ્રીમદે અત્ર સ્પષ્ટ પ્રકાશી, કેવલજ્ઞાનના પરમાર્થ સ્વરૂપ પર–નિશ્ચયસ્વરૂપ પર અપૂર્વ ઉદ્યોત નાંખે છે– અપૂર્વ જ્ઞાનપ્રકાશ રેલાવ્યા છે. મહાન શ્રી કુંદકુંદાચાર્યું પણ નિયમસાર ૪ શાસ્ત્રમાં ગા. ૧૫ આદિમાં આવા જ ભાવની વાત નિશ્ચય-વ્યવહારનાં વિભાગથી સ્પષ્ટ પ્રકાશી છેઃ “કેવલી ભગવાન વ્યવહાર નયથી સર્વ જાણે છે–દેખે છે, નિશ્ચયથી તે કેવલજ્ઞાની આત્માને જાણે છે–દેખે છે. જ્ઞાન પરપ્રકાશ છે તેથી વ્યવહારનયથી દર્શન છે, આત્મા પરપ્રકાશ છે તેથી વ્યવહારનયથી દર્શન છે; જ્ઞાન આત્મપ્રકાશ છે તેથી નિશ્ચયનયથી
"णाणं परप्पयासं बवहारणयेण दंसणं तम्हा ।
अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ॥ णाण अप्पपयासं, अप्पा अप्पपयासो तेण । ગMા પૂજયાસો ળિછાળા રંf તન્હા ! ” નિયમસાર
મ-
૫