________________
ગૂઢ પ્રશ્નોના ઉકેલનું મહામંથન
૫૯૧ ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિથી સિદ્ધ થવા એગ્ય છે. ચકવર્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તે સંભવ છે. કાળપ્રમાણાદિ પણ તે જ રીતે ઘટયમાન છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટયમાન હવા છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા ગ્ય છે–સંપ્રાપ્ત થવા ગ્ય જણાય છે. લેક શબ્દનો અર્થ—અનેકાંત શબ્દને અર્થ આધ્યાત્મિક છે. સર્વજ્ઞ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. જંબુદ્વીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે. ૪ ૪ ૪ શ્રી જિને કહેલા ભાવે અધ્યાત્મ પરિભાષામય લેવાથી સમજાવા કઠણ છે. પરમ પુરુષને વેગ સંપ્રાપ્ત થવો જોઈએ.”—અનેકાનેક ગૂઢ રહ
ને ઘટસ્ફોટ કરનારે આ રહસ્યભૂત પત્ર વર્તમાનમાં જિજ્ઞાસુઓને ઊઠતી કેટલીયે શંકાઓનું નિવારણ કરવાનું કેવું અપૂર્વ સામર્થ્ય ધરાવે છે ! સેંકડે થી ન થાય એવું કેવું સાંગોપાંગ સમાધાન શ્રીમદે અત્ર પ્રકાશ્ય છે ! સેંકડો ગૂઢ પ્રશ્નોના ઉકેલનું શ્રીમદે કેવું મહામંથન કર્યું હશે તેની સાક્ષી પૂરનારા આ અમૃત વચન મુમુક્ષુઓને કેવું અદ્ભુત માર્ગદર્શન આપે છે! વત્તમાનમાં લેક સંસ્થાનાદિ ભાવે અંગે અન્યથા કલ્પના કરી જિનવચનની શ્રદ્ધામાંથી ચલિત થનારાઓને અચલિત કરનાર–સ્થિરીકરણ કરનાર અને પરમ પ્રમાણુ જિનકથિત ભાવો સમજવાને નવીન અધ્યાત્મ દષ્ટિ અર્પનાર અધ્યાત્મનિમગ્ન શ્રીમદના આ ટકેલ્કીર્ણ અમૃત વચન તે સર્વ કાળના સર્વે મુમુક્ષુઓએ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે–
“સંતજને! જિનવરેન્દ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યા છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ છે. જે પૂર્ણ ગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા ગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોને વિરોધ કરતા નહીં; પણ યોગને અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજે.–શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૪
પ્રકરણ અઠયાશીમું કેવળજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા ઉંચા ચિદાકાશમાં જીવન્મુક્તપણાની પાંખે ઊડનારા–કેવલ એક શુદ્ધ ચૈતન્યમય આત્માની અનુભૂતિમાં વિલસનારા, કેવલ શુદ્ધ સહજ આત્મસ્વરૂપને અખંડ અનુભવ કરનારા–કેવલ જ્ઞાનમય આત્માને દિવ્ય અનુભવરસ આસ્વાદનારા પરમ આત્મદષ્ટા શ્રીમદે કેવલજ્ઞાનના તાવિક સ્વરૂપનું એવું આત્યંતિક પરિજ્ઞાન કર્યું છે, કે તેવા તજજ્ઞ