SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂઢ પ્રશ્નોના ઉકેલનું હામંથન ૫૮૯ અને દ્રવ્યાનુયોગ વિષય પરત્વે તે શ્રીમદે એટલું બધું આત્યંતિક તત્ત્વમંથન કર્યું છે અને એટલે બધે દઢ આત્મનિશ્ચયવંત તસ્વનિર્ણય કર્યો છે કે તેનું આપણને સહજ દર્શન દ્રવ્યાનુગ પર ઉદ્યોત રેલાવતા શ્રીમદ્દના આ સૂત્રાત્મક કેલ્કીર્ણ અમૃત વચનમાં થાય છે: “ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રીજિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં. સ્વપણાને ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વતે છે. જે ચેતન છે, તે કઈ દિવસ અચેતન થાય નહી; જે અચેતન છે, તે કઈ દિવસ ચેતન થાય નહીં. (હા. ૧-૫૬). જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વ કાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારને પદાર્થ સ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. (હા–ને ૧-૬૭). નમો જિjણું જિદભવાણું. જિનતત્વસંક્ષેપ. અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જવ અને પરમાણુપુલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુલ છે. ધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એ એકેક જીવ છે. (હા.નં. ૨-૪) # નમઃ-મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્યઃ-જીવ અજીવ–પર્યાય –અશાશ્વત. અનાદિ નિત્ય પર્યાય –મેઆદિ. (હા.- –૫) નામ. પ્રદેશ સમય પરમાણ. દ્રવ્ય ગુણ પર્યાય. જડ ચેતન.” (હા–ને. રૂ–૪) તથા પત્રાંક ૫૬૮માં પણ શ્રીમદે વિશદ તત્વવિચારણા પ્રકાશી છે કે –“શ્રી જિનને એ અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એ શ્રીજિને નિશ્ચય કર્યો છે. અને તેમજ એગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. અને આ સર્વ ઊહાપોહના નિષ્કર્ષ–નીચેડરૂપે શ્રીમદે પોતાના પરમ તત્ત્વનિર્ણયની ઉદ્ઘેષણ આ અમર શબ્દમાં કરી છે—જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે.” (હા.–. ૨-૨૧). અને સર્વ પદાર્થમાં પણ પરમ પદાર્થ તો આત્મા જ છે અને સર્વ પદાર્થને વિચાર પણ એક આત્માર્થે જ કર્તવ્ય છે, એ શ્રીમને અનન્ય આત્મનિશ્ચય છે. એટલે આત્મા વિષયમાં એકઠા (Ace) પરમ આત્મદ્રષ્ટા શ્રીમદે આત્મતત્તવસંબંધી જેટલો ઊંડા તત્વવિચાર કર્યો હોય, આત્મતત્ત્વસંબંધી જેટલે બળવાન અનુભવસિદ્ધ તત્વનિર્ણય પ્રાપ્ત કર્યો હોય, આત્મભાવનાનું જેટલું આત્યંતિક પરિભાવન કર્યું હોય, આત્મગીતાનું જેટલું દિવ્ય ગાન સંગીત કર્યું હોય, તેટલું પ્રાયે ભાગ્યે જ કોઈએ કર્યું હોય એ સહેજે સમજાય છે, અને એટલે જ આવા પરમ ભાવિતાત્મા મહામાએ આત્મા સંબંધી જે તત્ત્વવિચાર કર્યો હોય, જે તત્વનિર્ણય કર્યો હોય, તે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy