________________
અધ્યાત્મ રાજચંદ્ર કામમાં લીધા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચાર એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તે જ્ઞાન થાય. ૪૪ બે ઘડી પુરુષાર્થ કરે, તે કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવેઆદિ ગમે તેવો પુરુષાર્થ કરે તે પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં, તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારે.'
આવી પરમ પુરુષાર્થપ્રેરક હતી આ પરમ અમૃત પુરુષની પરમ અમૃતવાણું ! આવી અપૂર્વ માર્ગદર્શક હતી આ મોક્ષમાર્ગના મહાન નેતાની પરમ અમૃત દેશના! આવી અલૌકિક હતી આ જ્ઞાનાવતાર શ્રતગંગા-હિમાચલે આ નિવૃત્તિક્ષેત્રની અવનિ પર અવતારેલી જ્ઞાનામૃતગંગા! આવી અનુપમ હતી આ પરમાર્થ–પુષ્કરાવ મેઘે નિવૃત્તિક્ષેત્રે વર્ષાવેલી ઉપદેશામૃતધારા !
પ્રકરણ એંશીમું
ષદને અમૃતપત્ર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.–શ્રીમદ્ રાજચંદ્ર
ષપદના પત્ર તરિકે સુપ્રસિદ્ધ પત્ર (નં. ૪૩) શ્રીમદ્દના પત્રમાં એક પરમ વિશિષ્ટ અમૃતપત્ર છે. શ્રીમદની અલૌકિક અદ્ભુત આત્મવિચારધારા દર્શાવતે આ અમૃતપત્ર શ્રીમદૂના અધ્યાત્મ જીવનપ્રવાહ પર વેધક પ્રકાશ નાંખે છે, એટલું જ નહિં પણ ભક્તિ—અમૃતસિંધુમાં નિમજજન કરનારા શ્રીમદૂના પરમ ભક્તિમય અમૃત આત્માનું તાદશ્ય દર્શન કરાવે છે, એટલે આ અમૃતપત્રનું આ ખાસ પ્રકરણમાં દિગદર્શન કરશું.
શ્રીમદે પિતાના અધ્યાત્મજીવનના પ્રારંભથી આ પદ પર પરમ ગંભીર તત્વવિચારણા કરી છે, ઘણું ઊંડું તત્ત્વમંથન કર્યું છે, અને તેની ઊંડી છાપ તેમના અધ્યાત્મજીવન પર પડી છે. તેની સાક્ષી તેમના અનેક પત્રોમાં પ્રાપ્ત થાય છે - ખીમજી ભાઈ પરના પત્રમાં (સં. ૧૩૦) શ્રીમદ્ આ છે મહાપ્રવચન પર નિરંતર સંશોધન કરવાની ભલામણ કરે છે—“(૧) આત્મા છે. (૨) તે બંધાય છે. (૩) તે કર્મ કર્તા છે. () તે કર્મને ભક્તા છે. (૫) મોક્ષને ઉપાય છે. (૬) આત્મા સાધી શકે છે. આ જે છ મહાપ્રવચને તેનું નિરંતર સંશોધન કરજો.’– અત્રે આ છ પદને “મહાપ્રવચન કહ્યા તે સૂચવે છે કે આ છ પદને શ્રીમદ કેવા મહાન માને છે અને પ્રવચન-પ્રકૃષ્ટ આત વચન કહી તેના પ્રત્યે કે પરમાદર ધરાવે છે, અને તેનું નિરંતર સંશોધન કરવાનું કહ્યું તે સૂચવે છે કે મુમુક્ષુએ આ છ પદનું ગંભીર તત્વચિંતન કરવા પર