________________
આજન્મયોગી લાગી? ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ ગસામર્થ્ય દાખવનારા અનેક મહાપુરુષેના ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમ કે–વીશ વર્ષની નાની ઉંમરમાં જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર. ઘડીઆમાં રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યા હતા, તે મહાગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી અને ધર્મ ધુરંધર શ્રી યશોવિજયજી. સંત કબીરજી, રમણ મહર્ષિ આદિના ચરિત્રો પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતે પણ જન્મથી જ મતિશ્રત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ આજન્મયોગીપણું જ સૂચવે છે. આમ કુલગીઓના સેંકડો દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના ગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલગીઓને વેગ સહજ સ્વભાવે સિદ્ધ હોય છે. ઊંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને વેગ યાદ આવી જાય છે અને પછી પ્રવૃત્તચકાદિ ગભૂમિકાઓ ઝપાટાબંધ અત્યંત વેગે વટાવી જઈ તેઓ નિષ્પન્ન ગદશાનેસિદ્ધદશાને પામે છે.
આ ગીકુલમાં જન્મરૂપ જે કુલ યોગીપણું કહ્યું તે અધ્યાત્મસંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કારજન્મરૂપ છે. જેમ પુરુષનો બાહ્ય જન્મ સ્થૂલ સ્વરૂપે છે, તેમ ચોગીપુરુષને આ આધ્યાત્મિક જન્મ સુક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી જેમ બાહ્ય વર્ણન દિસંપન્ન દેહનો જન્મ છે, તેમ પરમાર્થથી ચગસંસ્કારસંપન્ન આત્માને જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ દેહનું સર્જન થાય છે, તેમ ગ–બીજાધાનથી પુરુષના-આત્માના સૂફમ સંસ્કારશરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગ્દર્શનાદિ બીજાધાન કરનારા ગીરૂપ માતા-પિતા છે. જેમ સ્થૂલ દેહમાં માતા-પિતાને ગુણ-લક્ષણ વારસો ઉતરે છે, તેમ આ આધ્યાત્મિક સંસ્કારસ્વામી રોગીઓને ગુણસંસ્કાર-વારસો તે સૂક્ષ્મ દેહમાં ઉતરે છે. જેમ “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” હોય છે, તેમ યોગી-પિતા જેવા આ યોગી–બાલ હોય છે. પરંતુ બાહ્ય જન્મ પુનર્જન્મને હેતુ હોય છે, પણ આ આધ્યાત્મિક સંસ્કાર જન્મ તે અપુનર્જન્મનો હેતુ હોય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વને-મરણને હેતુ હોય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વન–અમરપણાને હેતુ હોય છે. અથવા તે બાહ્ય સ્થૂલ દેહે જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તે આત્માનું મૃત્યુ જ છે; આત્માને ખરેખર પારમાર્થિક જન્મ તો ચોગસંસ્કારસંપન્નપણે જન્મવું તે જ છે. આવો આ પરમ ધન્ય પારમાર્થિક સંસ્કાર જન્મ આ કુલયોગીઓને સાંપડયો હોય છે, અને જન્મથી જ તેઓ યોગીઓના ધર્મને પામેલા હોય છે.
આવા આ મહાનુભાવ કુલગીઓ ખરેખર! કુલચગીઓ જ હોય છે. કુલવધુ જેમ પિતાના કુલને છાજે એવું વર્તન કરે છે-કુલીનપણું આચરે છે, કુલપુત્ર જેમ પિતાના કુલને લાંછન ન લાગે એવું કુલીનતા ગ્ય આચરણ કરે છે, તેમ કુલગી પણ પિતાના ગિકુલને છાજે એવું ને દેશ--કલંકરૂપ ઝાંખપ ન લાગે એવું, યથાયોગ્ય કુલીન આચરણ