SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજું આજન્મયોગી “કલયોગી' નિકુલે જાયા તસ ધમ્, અનુગત તે કુલચોગીજી” –ગદષ્ટિસખ્ખાય જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્ર જેવી દિવ્ય આત્મતિ અભુત જ્ઞાનસંસ્કારને ચિન્તામણિરત્નનિધાન લઈને આ ભારતની અવનિ પર અવતાર પામી, તે કાંઈ અકસ્માત નથી–આકસ્મિક ઘટના નથી, પણ પૂર્વ જન્મમાં સાધેલી અપૂર્વ ગસાધનાનું પરિપાકફળ છે. દેહ જન્મની અપેક્ષાએ ભલે રવજીભાઈ અને દેવબાઈ તેમના પિતા-માતા હો, પણ સંસ્કારસંપન્ન આત્મજન્મની અપેક્ષાએ તે એમના ધર્મપિતા–ધર્મમાતાસ્થાને મહાન યોગિવરેન્દ્રો છે; દેહ જન્મની અપેક્ષાએ શ્રીમદને જમ ભલે પંચાણુભાઈના કુલમાં થયે હે, પણ સંસ્કાર જન્મની અપેક્ષાએ તો શ્રીમદને જન્મ મહાન “ગિકુલમાં જ થયેલું છે. એટલે અનેક જન્મોમાં અસંસ્કારને અમૂલ્ય વારસો લઈને અવતરેલા શ્રીમદ્દ એગિકુલમાં જન્મેલા ખરેખર ‘કુલગી” છે, આજન્માગી (Born Yogi) છે. “કુલગી” એટલે જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે, એટલે કે જે લેગીના ધર્મને પામેલા છે, જે જન્મથી જ યોગી છે (Yogi by birth), આજન્મ ચગી છે તે. ગીતામાં ૪ છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે તેમ-ધીમે તેને રોગીઓના જ કુલમાં જન્મ હોય છે; આવે આ જન્મ લોકને વિષે અત્યંત દુર્લભ છે, ત્યાં તે પર્વ દેહિક (પૂર્વદેહ સંબંધી સાધેલ) બુદ્ધિસંયોગ પ્રાપ્ત કરે છે અને પછી હે કુરુનંદન ! પુનઃ સંસિદ્ધિમાં યત્ન કરે છે.” આ શ્લોકોનું વિશદ વિવેચન કરતાં સંત જ્ઞાનેશ્વરજી વદે છે કે –“જ્ઞાનરૂપ અગ્નિમાં હવન કરનાર, અધ્યાત્મ શાસ્ત્રમાં નિષ્ણાત અને પરબ્રહારૂપ ગામના વતનદાર, જેઓ “એકમેવાદ્વિતીયં ”ના સિદ્ધાન્તમાં નિત્ય નિમગ્ન રહીને ત્રિભુવનનું રાજ્ય કરતા હોય છે, અને સંતેષરૂપ વનમાં કેફિલ સમાન મધુર ધ્વનિ કર્યા કરે છે, અને જેઓ વિચારવૃક્ષના મૂળમાં બેસીને બ્રહ્મરૂપ ફળનું નિત્ય સેવન કરતા હોય છે, એવા યેગીના કુળમાં તે ગભ્રષ્ટ પુરુષ જન્મ ધારણ કરે છે.” ઈ. આને જ મહાન શ્રી હરિભદ્રસુરિ “કુલગી” શબ્દથી બિરદાવે છે–“જેઓ યેગીઓના કુલમાં જમ્યા છે અને જેઓ તેગીઓના ધર્મને અનુગત-અનુસરનારા છે, તેઓ કુલગીઓ કહેવાય છે.” x “ અથવા ચોવિનામે લુ મતિ ધીખતા एतद्धि दुर्लभतर लोके जन्म यदीदृशम् ॥ तत्र तं बुद्धिसंयोग लभते पौर्वदेहिकम् ।। તે તો મૂયઃ ફિરા યુનંદન ” -ગીતા અ. ૬ પ્લે. -૪૩ છે “ જે શોજિનાં યુદ્ધે જાતારતનુતા છે ! સુચોગિન કરીને પોત્રોડપિંડના છે ” –ગદષ્ટિસમુચ્ચય લે. ૨૧૦
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy