SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છાસઠમું અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણું દેટ અનુક્રમે સંયમ સ્પર્શતેજ, પામ્ય ક્ષાયક ભાવ રે; સંયમશ્રેણી ફૂલડેજી, પૂજું પદ નિષ્પાવ રે.”—શ્રીયશોવિજયજી જ્ઞાની પુરુષને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થતા જાય છે, એમ સર્વરે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.–શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ વીતરાગતાને પામેલા શ્રીમદ્ પૂર્ણ વીતરાગતા પ્રત્યે પૂર્ણ વેગે પ્રયાણ કરી રહ્યા હતા, તેનું અંતરંગ કારણ તેમને અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર પ્રત્યેને અપૂર્વ સંવેગરંગ હતું. આગલા પ્રકરણમાં કહ્યું હતું તેમ જેને આત્મા આત્મભાવે વર્તાતે હતો, એવા શ્રીમને આ આત્મભાવ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ વધતું જતું હતું, તે તેમના સમયે સમયે અનંતગુણવિશિષ્ટ વધતા જતા અપૂર્વ આત્મસંયમને લઈને વધતો જતો હતેક્ષાયિક ચારિત્ર પ્રત્યે લઈ જતી અપૂર્વ આત્મસંયમ શ્રેણીને લઈને વધતે જ હતું. પરમ આત્મપુરુષાર્થ શ્રીમદૂના આ અપૂર્વ આત્મસંયમ ને શુદ્ધ આત્મચારિત્ર ભણી દોટનું આ પ્રકરણમાં આલેખન કરશું. આ અપૂર્વ આત્મશ્રેણીએ ચઢતાં ક્ષાયકભાવની જેને લગની લાગી છે એવા શ્રીમ, મહાવીરની તે દશાનું વર્ણન કરતું આ પદ ટાંકી સૌભાગ્ય પરના પત્રમાં (અં.૩૦૯) લખે છે–અનુક્રમે સંયમ સ્પર્શતજી, પાપે ક્ષાયકભાવ રે, સંયમશ્રેણ ફૂલડેજ, પૂજું પદ નિષ્પાવ રે–(આત્માની અભેદ ચિંતનારૂ૫) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જડપરિણતિ ત્યાગ)ને પામેલ એ જે સિદ્ધાર્થને પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. ઉપરનાં વચન અતિશય ગંભીર છે. લિ. યથાર્થબોધ સ્વરૂપના યથા.” પિતાની વર્તી રહેલી આત્મસંયમમય આત્મદશાનું માર્મિક સૂચન કરતું આ અતિશય ગંભીર ઊંડા આશયવાળું વચન અત્ર ટાંકી, શ્રીમદ્ પિોતે જેના અનુગામી-અનુયાયી છે તે પિતાના પરમ આરાધ્ય આદર્શરૂપ મહાવીરની આત્મદશાનું સ્મરણ કરે છે, ને તે સિદ્ધાર્થના પુત્રના ચરણકમળને પિતાની તેવી વધતી જતી આત્મસંયમદશારૂપ સંયમશ્રેણીના ફૂલથી પૂજે છે,–આત્માની અભેદ ચિંતનારૂપ સંચમશ્રેણીના ભાવપુષ્પ ચઢાવી પરમ ભાવપૂજાથી પૂજે છે. અત્રે જે અર્થ–આત્મપદાર્થ છે તે “યથાર્થ બેધ ઉપજવા પ્રમાણે જેનું યથાર્થ બોધસ્વરૂપ થયું છે એવા શ્રીમદે આ વચન ટાંકી પિતાની તથારૂપ સંયમશ્રેણીમય આત્મદશાનું માર્મિક સૂચન કરી દીધું છે. અને પત્રાંક ૩૦૯-૩૧૦-૩૧૧ માં પણ પોતાની આ સંયમ શ્રેણીમય આત્મદશાનું માર્મિક સૂચન કરતું આ જ વચન ટાંકી પત્રાંક ૩૧૨ માં તે સ્પષ્ટ અથાણું
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy