SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમ મળે પરમ વિરક્ત દશા ૧૬૭ આત્મસુખ મેળવવા આ વિકારદેષ અવશ્ય ટાળવો જ જોઈએ એવી પરમશુદ્ધ આત્મભાવના પ્રકાશી છે. પણ આ દોષ ઈચ્છાજનિત નહિં પણ માત્ર પ્રારબ્ધોદયજનિત છે, એટલે જે શુદ્ધોપગની પ્રાપ્તિ થઈ તે તે સમયે સમયે “પૂર્વોપાર્જિત–પૂર્વ પ્રારબ્ધોદયજનિત મેહનીયને “ભસ્મીભૂત કરી શકશે.” આ અનુભવગમ્ય ૪ પ્રવચનશાસ્ત્રસિદ્ધ વાત અનુભવસિદ્ધ છે. અર્થાત શુદ્ધપગની અનુભૂતિ પિતાને ઘણે અંશે અનુભવસિદ્ધ છે, અને તેનું પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરવાનું સામર્થ્ય આત્મપ્રતીત છે, છતાં તેથી સંતોષ ન માનતાં શ્રીમદ્ તે પૂર્વોપાર્જિત જ્યાં લગી ટળ્યું નથી ત્યાં લગી પિતાની શી દશાથી શાંતિ થાય તેને વિચાર કરે છે. સ્ત્રીના સંબંધમાં તે કંઈ પણ રાગદ્વેષ રાખવા ઈચ્છતા નથી, પણ માત્ર પૂર્વોપાર્જનથી–પ્રારબ્ધદયથી તે ઈચ્છના પ્રવર્તાનમાં અટકયા છે, અર્થાત્ પ્રારબ્ધદય તેમ કરતાં રોકે છે. આના જે જ ભાવ એક બીજા પત્રમાં દાખવતાં શ્રીમદ્ પિતાની અંતર્વેદના ઠાલવે છે–“સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તન એર છે, પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકમ કે ઘેરે છે?” આ વેધક શબ્દોમાં શ્રીમદના આત્માની ઊંડી અંતર્વેદના સ્પષ્ટ દેખાઈ આવે છે અને તે સ્પષ્ટ સૂચવે છે કે – શ્રીમને વિષયસુખ પ્રત્યે લેશમાત્ર ઈચ્છા નથી પણ અત્યંત અનિચ્છા છે, લેશ પણ રુચિ નથી પણ અત્યંત ધૃણા–જુગુપ્સા છે, લેશ પણ આસક્તિ નથી પણ અત્યંત અનાસક્તિ જ છેછતાં તે ઇચ્છાજનિત નહિં પણ પ્રારબ્ધદયજનિત સ્વ૫ દેશ પણ ટાળવાને તત્પર છે પણ પૂર્વકમ નડે છે. એની તીવ્ર ખેદમય ઊંડી અંતર્વેદનાનું મેટું સંવેદનદુઃખ સ્વસંવેદનશીલ શ્રીમદૂના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળેલાં આ તીવ્ર આત્મસંવેદનમય પત્રના આ સહજ ઉદ્ગારેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ઋજુ અને નિર્દભ સાચા પુરુષ અજુપણે-નિર્દભપણે પોતાના દેશને સ્વીકાર કરે છે. પિતામાં ન હોય એ ગુણને દાવો કરે એ જેમ દંભ છે, તેમ પિતામાં દેખાતા દોષને ન દેખવો તે પણ દંભ છે. શ્રીમદ્દ જેવા પરમ સાચામાં સાચા પુરુષમાં તે સ્વમાંતરે પણ સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ દંભ નથી, એટલે અત્યંત નિર્દભ રાજુભૂત્તિ શ્રીમદ્દ તો પિતાને સ્વલ્પ પણ દેષ દેખી મુક્ત કંઠે ને મુક્ત હૃદયે તેને સ્વીકાર કરે છે, એટલું જ નહિં પણ તેને મેટું રૂપ આપી (magnify) આત્માને નિદે છે, અને તેથી મુક્ત થવાની જ ભાવના ભાવે છે. ખરેખર ! સત્પરુષે સૂક્ષ્મદર્શક યંત્ર (microscope) જેવા છે. “geગુખપરમાપૂ પર્વતીચ નિત્યં નિરારિ વિનંત સંત સંતા ચિંતઃ?” સૂક્ષ્મદર્શક યંત્રની જેમ નાનાને મોટું રૂપ આપનારી (magnifying) સૂક્ષ્મદષ્ટિ ધરાવતા મહતપુરુષ–સત્પુરુષ પરગુણના પરમાણુને પણ જેમ પર્વતરૂપ કરી સ્વહૃદયમાં વિકસે છે– ઉલસે છે, તેમ સ્વદેષના પરમાણુને પણ પર્વતરૂપ કરી "पुग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो दु अहमिको ॥" સમયસાર ગાથા, ૧૯૯
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy