________________
અધ્યાત્મ રાજચંદ્ર તો સાર્વજનિક તત્ત્વદૃષ્ટિથી સાર્વજનિક હિત હેતુરૂપ તત્વવિચારણા કરી છે, એટલે ગમે તે સંપ્રદાય, મત, ધર્મ, જાતિવાળાને આ ઉપકારી થઈ શકે એ સાર્વજનિક કેટિને (Universal) ગ્રંથ છે; માટે મત-દર્શનને આગ્રહ કે વિકલ્પ છોડી દઈ સર્વ કઈ મોક્ષકામી મુમુક્ષુએ તત્ત્વદષ્ટિથી આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્તવ્ય છે. ખરેખર! આજના બાલ યુવાનો સાચા ધર્મસંસ્કારસંપન્ન—જ્ઞાન–શીલસંપન્ન થાય એમ આપણું ધર્મ પક્ષાતીત (Secular) સરકાર ઈચ્છતી હોય તો ભારતની સર્વ ભાષાઓમાં આ ગ્રંથનું પ્રામાણિક ભાષાંતર કરાવી એની બહોળા હાથે ઘરે ઘરે પ્રભાવના કરવા યોગ્ય છે; એટલું જ નહિં પણ ભારતનું મુખ ઉજજવલ કરવું હોય તો વિશ્વની સર્વ ભાષાઓમાં આનું યથાર્થ ભાષાંતર કરાવરાવી અખિલ વિશ્વમાં આનો પ્રચાર કરવા યોગ્ય છે. કારણ કે, લાખો Nobel Prize જેનું મૂલ્યાંકન કરવા સર્વથા અસમર્થ છે એવા આ અમૂલ્ય ગ્રન્થમાં ભારતનું મુખ ઉજજવલ કરે એવું પરમ દૈવત ભર્યું પડયું છે. અસ્તુ !
આ ગ્રંથની રચના સં. ૧૯૪૧ના ચૈત્ર માસમાં થઈ છતાં એની પ્રકાશના થઈ સં. ૧૯૪૪માં. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા તેમ શ્રીમદની કૌટુંબિક આર્થિક પરિસ્થિતિ સાંકડી હતી, એટલે પ્રકાશન માટેના અર્થ સાધનની જોગવાઈ કરવાની હતી. સરસ્વતી પ્રસન્ન હતી, પણ “શ્રી” હજુ પ્રસન્ન હતી નહિં. એટલે આર્થિક મુંઝવણને લઈ વિલંબ થ સ્વાભાવિક હતા. વળી સત્ત્વવંત પુરુષે નિરભિમાની વિનમ્રહેવા છતાં સરસ્વતીને શ્રી પાસે નમાવતા નથી, શ્રીમંતોને રીઝવવા ખુશામત કરતા નથી,-તેમ કરવું તેમના સ્વભાવમાં જ હોતું નથી. એટલે “ચા મોજા જમfrળ ના ધામ'–ગુણવંત પ્રત્યેની યાચના મેઘ-નિષ્ફળ-ખાલી જાય તે પણ સારી, પણ અધમ ગુણહીન પ્રત્યેની યાચના -કામના પ્રાપ્ત થાય તે પણ નહિં સારી,-એ કવિ કાલિદાસના સુભાષિત પ્રમાણે કેઈની પાસે યાચના કરવાનો કે ખુશામતને પ્રશ્ન જ ન્હોતો. આમ “નાણાંભીડ” છતાં આ પરમ લોકોપકારકાર્યરૂપ “નાણ” (જ્ઞાન) ભીડ તો ભાંગવી જ હતી, (અર્થાત ) પ્રકાશનરૂપ લોકપકાર કાર્ય તે કરવું જ હતું. એટલે મહાસત્વ બધિસત્વ શ્રીમની પ્રત્યુત્પન્ન બુદ્ધિએ આ મુશ્કેલીમાંથી માર્ગ શોધી કાઢયો. તે અરસામાં શ્રીમદે અવધાનપ્રયોગો શરૂ કર્યા હતા, એટલે લોકોને આંજી નાંખનારા (Dazzling) આ ચમત્કારિક પ્રયોગોથી તેઓ કદષ્ટિએ ચઢી ચૂક્યા હતા,-લેકની નજરમાં આવી ચૂક્યા હતા, એની સહજ સ્વભાવે થયેલી પ્રસિદ્ધિના અનુસંધાનમાં તેમણે આ નૂતન પ્રકાશનના અગાઉથી ગ્રાહકોંધાવી ગ્રંથપ્રકાશનને કીમિયે શોધી કાઢયે. છતાં અણધાર્યા સંજોગોથી પ્રેસમાં વિલંબ થયો. તેમાં બેધિસત્વ–મહાસત્ત શ્રીમદના મહાસત્ત્વની કસોટી થઈ, અગ્નિપરીક્ષા થઈ. વિલંબને લીધે પ્રારંભના ગ્રાહકોમાં સહજ કચવાટ થયો. તે કચવાટ દૂર કરવા અને પિતાના અંતરનું ઊભરાતું વૈરાગ્યનું પૂર પ્રગટ કરવા તેમણે દ્વાદશ ભાવનાનું પરમ ભાવવાહી સ્વરૂપ આલેખતે વૈરાગ્યને અનુપમ અનન્ય ગ્રંથ “ભાવનાબોધ” રચીને ગ્રાહકને “ઉપહારરૂપે–ભેટરૂપે આપે. કારણ કે આ ગ્રંથ પ્રમાણમાં ‘લઘુ– નાનો હોવાથી શીધ્ર પ્રગટ થાય એમ હતું અને મોક્ષમાળા પ્રમાણમાં મોટે ગ્રંથ હોવાથી તેને પ્રગટ થવામાં વિલંબ થાય એમ હતું. આ સાવ સામાન્ય દેખાતા પ્રસંગમાં