SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે એક ઝાડ નીચે તેમને દિવ્યજ્ઞાન પ્રગટ થયેલું તે ઝાડને કલ્પવૃક્ષ કહે છે. તેની પાસે જ એક ગુફા છે. તેમાં શંકરાચાર્ય તપશ્ચર્યાસાધના કરેલી હતી. તે ગુફા શંકરાચાર્યની તપસ્થલી તરીકે આજે પણ વિદ્યમાન છે. (પત્ર ૬) ભગવાન વિષ્ણુ પદ્માસનમાં બિરાજમાન છે. તેમનાં ભિન્નભિન્ન અંગોમાં શું શું છે તે જણાવાય છે. મધ્યમાં કૌસ્તુભ છે. તેનું વર્ણન કરવામાં આવે છે. બે કાન પાસે ખભા પાસે વાળની લટ છે. એ તેમની જટાના વિખરાયેલા વાળ છે એમ વર્ણવવામાં આવે છે. પ્રતિમાજીને ખરેખર બે જ ભુજા છે. ભગવાન વિષ્ણુની આવી મૂર્તિ જગતમાં આ એક જ છે. (પત્ર ૭) જેમ આપણે ત્યાં છેલ્લા ત્રીસ-ચાલીસ વર્ષથી વિવિધ પૂજાઓના બદલે વિવિધ પૂજનોનું જ મહત્ત્વ વધી ગયું છે. તેમ આ લોકોમાં વિવિધ યજ્ઞો તથા હોમ-હવનનું મહત્ત્વ ખૂબ જ ખૂબ વધી ગયું છે. એ નામે લાખો-કરોડો રૂપિયા ખર્ચાય છે. યજ્ઞોમાં હોમહવનના ધૂમાડા વગેરેથી ખરેખર કેટલું ફળ મળે છે તે તો ભગવાન જાણે. વૈજ્ઞાનિક રીતે એના ફળની મોટી મોટી વાતો તેના આયોજકો કરતા હોય છે. આ યજ્ઞો જોવા માટે હજારો લાખો માણસો ભેગા પણ થતાં હોય છે. છતાં આના ફળની બાબતમાં વાસ્તવિકતા કેટલી છે તે માટે તો ભગવાનને પૂછવું પડે. ધાર્મિક પરંપરા સામાજિક પરંપરા રૂપે શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. Jain Education International ૨૯૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy