________________
(પત્ર ૩)
કર્ણપ્રયાગ આવ્યા ત્યાં વીસેક હજારની વસ્તી છે. અહીં પિંડારા નામના ગ્લેશીયરમાંથી નીકળેલી પિંડર નદીઓ અલકનંદા સાથે સંગમ થાય છે.
પાંડુપુત્ર કર્ણ કહેલું કે જ્યાં ગંગા ઉતરવાહિની થાય ત્યાં મારો અગ્નિસંસ્કાર કરજો એટલે પ્રયાગના સંગમના સ્થાન ઉપર કર્ણ મંદિર છે તેમજ કર્ણકુંડ પણ છે.
નદીને બંને બાજુએ હોટલ, આશ્રમો, ધર્મશાળાઓ, બંગલાઓ છે. અહીંથી ગંગા ઉતર દિશા તરફ વહે છે અને તેમાં પિંડર નદીના લીલાછમ રંગના પાણીના પ્રવાહનો સંગમ થાય છે.
કર્ણ પ્રયાગમાં બે દિવસ અમારી સાથેના ભરતભાઈ તપાસ કરી આવ્યા પછી ઉતરવાની જગ્યાએ મેળ જ ખાધો નહિ.
એક વાતની ખાસ નોંધ લેવાની છે. ભક્ત શ્રાવકો તરફથી આહાર-પાણી માટે તથા તંબુ નાખવા માટે મોટર આદિની સગવડ ગમે તેટલી હોય તો પણ ઉતરવા માટે જગ્યાની ઋષિકેશથી બદરીનાથ સુધીના આખા રસ્તા ઉપર ખૂબ જ મુશ્કેલી પડે છે.
(પત્ર ૪)
સવારમાં જ અમે સોનાલાથી નીકળ્યા પછી નંદપ્રયાગ આવ્યા હતા. નંદપ્રયાગનું પહેલા નામ કાસા-કાનાસું હતું. ઈ.સ. ૧૮૫૮થી એનું નંદપ્રાય નામ પાડ્યું છે. નંદપ્રાયમાં નંદાકિની નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. નંદાકિનીનું લીલુંછમ પાણી અલકનંદાના જ પ્રવાહમાં ભળે છે. અહીં અલકનંદા ખૂબ જ જોરથી ઘોડાપુરથીસ
રામપુર. (૨૯૨)
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org