SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ચારૂપ તીર્થ. તા. ૧૬-૭-૮૫ જિનશાસનની યથોક્ત ક્રિયાઓ વ્યવસ્થિતપણે વિધિના આગ્રહ સાથે કરવામાં આવે તો તે ક્રિયાઓ મોહના સંસ્કારોના ક્ષયના પરિણામે સદનુષ્ઠાનરૂપ થવા પામે છે - જે સદનુષ્ઠાનથી માત્ર નિર્જરા જ થાય. ૧૦. આ સદનુષ્ઠાનનું લક્ષણ યોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પરમપૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિ મ. આ રીતે જણાવે છે કે - આવર: રખે પ્રીતિ, વિઘ્ન: સંપવામ: | ' जिज्ञासा तत्रिसेवा च सदनुष्ठानलक्षणम् । અર્થાત્ જો ક્રિયાઓ જ્ઞાની ગીતાર્થ ગુરૂની નિશ્રાએ, મર્યાદાના પાલન અને વિધિપરાયણ બની કરાય તો નીચેનાં છ લક્ષણો જીવનમાં વિકાસ પામે. ૧. આદ૨ = હૈયાનો ઉમળકો. - ૨. અંતરંગ પ્રીતિ – રૂચિ = ક્રિયા કરતી વખતે અંતરના ઉલ્લાસની ભેળવણીથી તન્મય થવાની પ્રવૃત્તિ. ૩. વિઘ્ન - અંતરાયોનો નાશ = વિશિષ્ટ ક્રિયાઓના આસેવનથી નિર્જરા અને એમાંથી ઉપજતા વિશિષ્ટ પુણ્યના બળે અંતરાયભૂત તત્ત્વોનો નાશ થવા માંડે. ૪. સારી પરિસ્થિતિનું સર્જન = ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણાથી પાપકર્મોનું બળ ઘટવાથી, અનુકૂળ વાતાવરણાદિની પ્રાપ્તિ થવા પામે, જેથી ક્રિયા વ્યવસ્થિત સાનુબંધ થાય. ૫. જિજ્ઞાસા = ક્રિયાના સ્વરૂપની વિશેષતા, તેના ફળ રૂપે થતાં કર્મોના ક્ષયોપશમ આદિ અંગે, આંતરિક જિજ્ઞાસા પ્રગટે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Jain Education International ૨૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy