________________
આપત્તિ દૂર થાય કે ઈષ્ટ કાર્યસિદ્ધિ થાય એવા વિચારો સાહજિક
રીતે દૂર કરવા. ૧૯. શ્રી નવકારનો જાપ શરૂ કર્યા પછી જાપની શક્તિ નક્કર રૂપ
લઈ અંતરમાં ફેલાવાની શરૂઆત થઈ છે તેની નિશાની રૂપે શરીરે ઠીક ન રહે, અંદરથી ગમે નહીં, ગ્લાનિ જેવું થાય, સંજોગો વિષમ થાય, અણધારી મુસીબત આવે, માનસિક વ્યગ્રતા, કામક્રોધના પ્રસંગો, શીધ્ર ફલદાયી અન્યમંત્રોની સિદ્ધિ = ચમત્કારો તરફ મન વળે... આ બધો કચરો બહાર આવે છે, માટે ગભરાવું નહીં. આવું થાય એ તો આપણી જાપની ગાડી દેવ-ગુરૂ-કૃપાએ આગળ વધી રહી છે અને અનિષ્ટોના આધ્યાત્મિક સ્ટેશનોમાંથી પસાર થઈ રહ્યા છીએ - એમ સમજવું. આવું ન થાય તો ચિંતા કે
જાપ-શક્તિ હજુ સક્રિય થઈ નથી. ૨૦. આરાધનામાં આવી પડતાં ઉપરનાં વિઘ્નો માટે યોગ્ય -
અધિકારી ગુરૂદેવને વાત કરવી. અન્યને વાત પણ ન કરવી. ૨૧. જાપ કરતી વખતે બનાવટી... પણ માનસિક પ્રસન્નતા કેળવવી. ૨૨. ધાન્યની સુરક્ષા માટે વાડ, પાણી, ખાતરની જેમ જાપમાં વધુ
સ્થિરતા લાવવા સહયોગી સાધન તરીકે પ્રભુભક્તિ, ગુરૂસેવા, દુ:ખીઓના દુઃખની કરૂણા, સ્વકક્ષાને યોગ્ય નૈતિક -
વ્યવહારિક ધોરણ જાળવવા વ્યવસ્થિત પ્રયત્ન કરવો. ૨૩. જાપથી સઘળું બળ મળે છે એ સત્ય હોવા છતાં એકાંગીપણું
વાસ્તવિક રીતે હિતાવહ નથી. તેથી જાપની સાથે દૈનિક કર્તવ્યો પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, ગુરૂભક્તિ, અભક્ષ્યત્યાગ, તિવિહાર, ચઉવિહાર, પર્વતિથિએ વ્રત નિયમ પક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ની
:
(૧૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org