SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછી હશે, કેમ કે વિચારોની ધાંધલ શરણાગતિની ખામીથી ઉપજે છે. નાનું બાળક માની ગોદમાં ઊંઘતું હોય, તેની કશી વિચારોની ધાંધલ હોતી નથી. જેમ જેમ ઉંમર વધે અને બાળકનું મગજ સક્રિય બને અને માતાના વિચારોને શરણાગતિ ભાવથી અપનાવવાની તૈયારી (ઉંમરના કારણે) ન રહેવા પામે, પોતાના અધૂરા બિનઅનુભવી વર્તમાનકાળ કેન્દ્રિય વિચારોની સામે મા-બાપના વ્યવહારૂં અનુભવપૂર્ણ ભવિષ્ય કેન્દ્રિય વિચારો આવે એટલે ધાંધલસંઘર્ષ થાય. આ રીતે શ્રી નવકારરૂપ મહાશક્તિ - જેનાથી આપણા અંતરમાં રાગાદિ દોષોનો કચરો ક્ષીણ થઈને આત્મશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. તે શક્તિ - માતારૂપે આપણા પર વાત્સલ્યભાવે રાખી સમયે સમયે વૃત્તિઓને પલટાવવાના ભગીરથ કામને પણ સહેલું કરી દે છે. પણ જેમ આપણે તે સાધના કાળમાં આપણા મગજની સક્રિયતા આપણા વિચારોની મહત્તાને પરવશ બની કરૂણાભરી માતારૂપ શ્રી નવકારની શક્તિને શરણાગતિ ભાવથી સરંડર બની આવકારીએ નહીં, તો જીવનમાં વિચારોનો સંઘર્ષ અને મગજમાં ઉથલપાથલનો અનુભવ થાય જ! પરિણામે જીવનમાં ખળભળાટ રહે, અશાંતિનો અનુભવ થાય. પણ ગાડીમાં બેઠા પછી માથે પોટલું શા માટે રાખવું? શ્રી નવકારરૂપ નિષ્કારણ વાત્સલ્યભરી માતાના ગોદમાં નિખાલસપણે “મુજ જીવનને તું ઉદ્ધાર''ની ભાવનાથી મન-વચનકાયાથી સમર્પિત બનવાનો પ્રયત્ન આપણે કેમ ન કરીએ? શ્રી નવકારની આરાધનાના પંથે આવ્યા પછી એક વાત મનમાં નક્કી કરી રાખવાની કે સંસારના પદાર્થો પૂર્વજન્મના પુણ્યકર્મના તે પક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ન E ૧૯૫) ૧૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy