________________
દૂર રહે છે. સર્વ જીવોના ભલામાં પ્રવૃત્તિ કરે છે તેઓ હૃદયની શુદ્ધિ કરે છે અને `આત્મામાં સર્વ પ્રાણીઓને સમાન ભાવે દેખે તે અને અન્ય જીવોને પુત્રાદિક સમાન આત્મીય ગણે છે, મન ઇન્દ્રિય દ્વારા ક્ષણિક સુખો ભોગવવાના સ્વાર્થથી તેઓ મનુષ્યો પશુ પંખી વિગેરેની હિંસા તથા તેઓને પીડા કરતા નથી તથા તેઓ પર અન્યાય જાલ્મ ગુજારતા નથી, તેઓ સર્વ જીવો પર આત્મભાવનાથી વર્તે છે તેમજ અન્ય જીવોના અપરાધોની શક્તિ છતાં માફી આપી પાપીઓને પણ સુધારી પ્રભુ માર્ગમાં લઇ જાય છે, તેઓ સર્વ જીવોને આત્મજ્ઞાન આપે છે અને અનાર્ય પાપીઓને પણ પવિત્ર બનાવે છે. પાપીઓને ધિક્કારવા નહિ પણ તેઓના દોષો ટાળવા માટે તેઓમાં આત્મભાવ ધારવો. તેઓ આત્મરૂપ છે એવી દઢ માન્યતા રાખી તેઓ સાથે વર્તવું, દુર્જન હિંસકોથી સાવધ સાવચેત રહીને તેઓનું ભલું કરવા પ્રયત કરવો. તેઓને આત્મવત્ દેખવામાં અને આત્મવત્ ભાવવામાં અપ્રમત્ત રહેવું. દુનિયામાં સર્વ જીવો એકદમ સાત્વિક જ બની જતા નથી પણ જેને આત્મશુધ્ધિ કરવી છે અને પ્રભુ સ્વરૂપમય જીવન કરવું છે તેણે તો આ પ્રમાણે સર્વ જીવોમાં આત્મભાવના ભાવવી, સર્વ જીવોને આત્મવત્ દેખવા, સ્વાર્થ, કીર્તિ, બાહ્ય સુખ, પ્રતિષ્ઠા, શરીર, લક્ષ્મી આદિ સર્વ પરથી અહંમમત્વ ભાવ ઉઠાવી લેવો અને આત્માને જ્ઞાન કરી આત્માનું ધ્યાન ધરવું. સર્વ જીવો પર કરૂણાભાવ, મૈત્રીભાવ તથા તેઓના ગુણ સંબંધી પ્રમોદભાવ ધારણ કરવો. સર્વ જીવોને આત્મસમા માનવાની ભાવનામાં અને તેવા વર્તનમાં કરોડો વિશ્નો નડે છે, હજારો શત્રુઓની ગરજ અજ્ઞાન મોહ સારે છે. તેથી ઉપરના મૂળ શ્લોક પ્રમાણે દેખવું અને વર્તવું સહેલ નથી. સર્વ જીવોને આત્મ સમા દેખ્યા વિના કુટુંબ, સમાજ, દેશ, સંઘ, વિશ્વ, રાજ્યમાં શાંતિ સુખ સ્થિરતા નથી. કરોડો અન્ય ઉપાયો કરવામાં આવે તો પણ પોતાનો અને વિશ્વના લોકોનો આવી લખેલી દશા આવ્યા વિના ઉધ્ધાર થયો નથી અને થવાનો નથી તથા મોક્ષ થવાનો નથી. ભૌતિક સ્વાર્થોના યુધ્ધોથી કદાપિ શાંતિ થનાર નથી. આત્મદૃષ્ટિ પ્રાપ્ત કરીને મોહદષ્ટિ ટાળ્યાથી જ આત્મામાં સર્વ જીવોની સાથે આત્મસમ વર્તનરૂપ ચારિત્ર ખીલે છે. એવા માર્ગે વહનાર જ્ઞાની સંતો, ભક્તો, યોગીઓ છે. આત્મસમા સર્વ જીવોને દેખવા જોઇએ એમ કથનારા અને લખનારા લાખો વિદ્વાનો, પંડિતો અને કવિઓ છે. પણ તે પ્રમાણે વર્ત્યા વિના આત્માની શુધ્ધિ થતી નથી, માટે શ્રુતિનો સાર એ છે કે તે પ્રમાણે વર્તવું. તે પ્રમાણે વર્તે છે તે શ્રુતિના સત્ય માનનારા છે બાકી મોહી છે. સારાંશ એ છે કે એ પ્રમાણે દેખવું તથા વર્તવું.
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org