SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ છે એમ માને છે. દેવો અને દેવીઓને ખુશ કરવા તેઓની આગળ મનુષ્ય પશુ પંખીઓને મારી બલિ ચઢાવે છે, અને તેથી પોતાને પરમેશ્વર દેવ દેવીના ખરા ભક્ત તરીકે માને છે તેવા લોકો અજ્ઞાની આત્મઘાતક અસુરો છે એમ આ ત્રીજી કંડીકામાં જણાવ્યું છે. પરમેશ્વર છે તે પશુ વગેરેના રક્તમાંસથી પ્રસન્ન થાય છે, દેવા દેવીઓ પણ મનુષ્ય પશુ વગેરેના માંસથી ખુશી થાય છે એવું માનવું તે તદન અજ્ઞાન છે અને એવી અજ્ઞાનવાળી પ્રવૃત્તિ તે આત્મઘાતક છે, એવી આસુરી તમોગુણી બુદ્ધિ અને પ્રવૃત્તિથી આત્માની શુદ્ધિ થતી નથી એમ આ ત્રીજી કંડીકામાં સ્પષ્ટ જણાવ્યું છે, એવા અસુર મનુષ્યો એવી અજ્ઞાનતાથી પરમેશ્વરને જાણી શકતા નથી. જેઓ પરમેશ્વરના નામે યજ્ઞ કરીને પરમેશ્વરની પ્રસન્નતાર્થે પશુઓને યજ્ઞમાં હોમ છે તેઓ અજ્ઞાનીઓ છે, કારણ કે તેઓ એટલું પણ જાણતા નથી કે પરમેશ્વરને રક્તમાંસ ખાવાની ઈચ્છા નથી, માટે તેઓ અજ્ઞાનીઓ છે. પરમેશ્વર અનંત દયાળુ છે તે માંસાહારી રક્તાહારી નથી. કોઈ પ્રાણીનો યજ્ઞમાં હોમ કરવાથી પરમેશ્વર પ્રસન્ન થતા નથી. મનુષ્યોએ અજ્ઞાનથી કલ્પના કરીને પરમેશ્વરને પ્રાણી માંસની જરૂર છે એવું કલ્પી અજ્ઞાન આસુરી ધર્મ પ્રગટાવ્યો છે પણ તે સત્ય નથી. એવા અજ્ઞાનીઓ અંધા છે તેઓ પોતાના સ્વાર્થે મનુષ્યોની – પશુઓની હિંસા કરે છે, એટલું તો નહીં પરંતુ તેઓ પરમેશ્વરને પણ જેવી વૃત્તિ તેવો ઈશ્વર માનીને પોતાની અજ્ઞાન પાપી વૃત્તિના અનુસારે પરમેશ્વર નામે પશુઓ આદિનાં બલિદાન કરે છે તે અજ્ઞાનરૂપ અંધકારથી આચ્છાદિત થએલા મનુષ્યો પુન આસુરી યોનિને પામે છે. તેવા અજ્ઞાનીઓ આસુરી ધર્મશાસ્ત્રો રચીને પરમેશ્વરના નામે પશુઓ વિગેરેનું બલિદાન આપવું સાબીત કરે છે તેથી તેઓ સત્યરૂપ આત્માને હણી અસત્યરૂપ અનાત્મભાવને પામી નરકતિર્યંચની ગતિમાં અનેક પ્રકારનાં દુ:ખો પામે છે. શુકલ યજુર્વેદીય બૃહદારણ્યકોપનિષદ્ધાં કહ્યું છે કે – अनन्दा नाम ते लोका, अन्धेन तमसाऽऽवृताः तास्ते प्रेत्याभिगच्छन्त्य विद्वाश्सोऽबुधोजनाः ॥ ११ ॥ અનન્દા અર્થાતુ જ્યાં આનંદ પ્રમોદ થતો નથી એવી સાત નરકોમાં તેવા અજ્ઞાની મહાપાપી અસુરો મરીને જાય છે. અવિદ્વાનો, અબુધો, પુણ્ય પાપનો વિવેક કરી શકતા નથી. પુણ્ય કર્મથી પુણ્ય થાય છે અને પાપ કર્મથી પાપ થાય છે તેનો વિવેક જાણીજ શકતા નથી. અજ્ઞાનીઓ અન્ય સમાન છે તેઓ અજ્ઞાન, અસત્ય, હિંસા, ચોરી, વ્યભિચાર, મોહ, દુષ્ટવૃત્તિ પ્રવૃત્તિરૂપ અંધકાર તરફ ગમન કરે છે તેથી તેઓ આત્મજ્ઞાન પામી શકતા નથી, આસુરી વૃત્તિયોનો હોમ કરીને આત્માની શુદ્ધિ ૨ ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy