SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ થવા માટેનો માર્ગ અધ્યાત્મ વિદ્યા છે એમ નિષ્કર્ષ તારવી શકાય છે. આચાર્ય દેવગુપ્તસૂરિએ ચિદાનંદજીની ગીતાને આધારે પ્રશ્નોત્તરમાલા નામથી પુદ્ગલ ગીતા પ્રગટ કરી છે તેમાં પુદ્ગલ વિષયક પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થયો છે. વિનયચંદ્રજીની અગિયાર અંગ ગીતામાં આગમના મૂળ ૧૧ અંગ વિશેની માહિતી સજઝાય નામથી પ્રગટ થયેલી છે તેને અગિયાર અંગ ગીતા નામ આપવામાં આવ્યું છે. આ ગીતા જૈનદર્શનના મૂળભૂત આગમ શાસ્ત્રનો પરિચય કરાવે છે. જે જિનવાણીનો ભવ્યોદાત્ત વારસો છે. જ પૂ. બુદ્ધિસાગરજીસુરિજીની આત્મદર્શન ગીતા, અધ્યાત્મ ગીતા, પ્રેમગીતાઓ સંસ્કૃત ભાષામાં છે. એમની ગીતાઓ સરળ સંસ્કૃત ભાષામાં છે. સ્વયં અભ્યાસ કરી શકાય તેવી સંસ્કૃત શૈલી અને અનુષ્ટુપ છંદનો આશ્રય લઈને સર્જન કર્યું છે. એમની ગીતાનું કેન્દ્ર બિન્દુ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ અને તેમાં જૈનદર્શન ઉત્તરા ધ્યયન સૂત્રમાં ‘વત્યુ સહાવો ધમ્મો' એટલે કે વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે. જેની સેવના કરતાં એટલે કે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વક્રતા, લુચ્ચાઈ, માયા, મૃષાવાદ આદિ દુર્ગુણો પ્રવેશ થવા ન પામે તે જ આત્માનો ધર્મ હોઈ શકે છે અને તે સમતા, સમ, શમ, તિતિક્ષા આદિ આત્માના ધર્મને અનુકૂળ તત્વો છે. તેની આરાધના માટે આત્માને કોઈ પણ પ્રયત્ન કરવો પડતો નથી. તદુપરાંત તેની પાછળ શોક, સંતાપ, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ મોહરાજાના સૈનિકોનો લેશ માત્ર ભય હોતો નથી. આત્માને અધઃપતનમાંથી બચાવવા માટે સમતા મહાન ઔષધ છે, માટે ‘સમ’ આત્માનો ધર્મ છે. ગીતા કાવ્યોના વિચારો આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે તે દૃષ્ટિએ આત્માના સ્વભાવનો ખ્યાલ રાખીએ તો તે માર્ગે વધુ વિકાસ સાધી શકાય. ગીતા કાવ્યોના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરતા તેર ગીતાઓનો સમાવેશ કર્યો છે. બીજા વિભાગમાં ઉપનિષદ્ નામાવલીની પાંચ કૃતિઓની માહિતી આપવામાં આવી છે. ત્રીજા વિભાગમાં ચરિત્રાત્મક નિરૂપણ દ્વારા તત્વના જ્ઞાનનો કોઈને કોઈ સંદર્ભ હોય તેવી આઠ ગીતાઓનો પરિચય આપવામાં આવ્યો છે. શ્રી મેઘવિજયજી ઉપા.ની અર્હદ્ ગીતામાં અર્જુના સ્વરૂપનું અનોખી શૈલીમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કવિની અજબ ગજબની કલ્પના શક્તિ દ્વારા અરિહંતના સ્વરૂપનું અન્ય Jain Education International For Private & Personal Use Only ૧૭ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy