SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દેવના ગુણો જેમાં ન હોય છતાં દેવપણાની બુદ્ધિ કરવી, ગુરુના ગુણો ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી, અધર્મ વિશે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. ये स्त्री शस्त्राक्षसूत्रादि रागधिंक कलंकिताः निग्रहानुग्रहपरास्ते देवाः स्युन मुक्तये ॥ ६॥ पा. १११ જે દેવો સ્ત્રી શસ્ત્ર અને જપમાલાદિરાગના ચિન્હોથી દૂષિત છે અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે તે દેવોની ઉપાસનાદિ મુક્તિને માટે થતા નથી. સુગુરુનું લક્ષણ महाव्रतधरा धीरा भैक्षमात्रौप जीविनः सामायिकस्था धर्मोपदेशका गुरवोमताः ॥ ८॥ पा. ११३ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ મહાવ્રતને ધારણ કરનાર, પરિષહાદિ સહન કરવામાં ધીર, મધુકર વૃત્તિએ ભિક્ષા કરી જીવન ચલાવનારા, સમભાવમાં રહીને ધર્મોપદેશ આપનારને ગુરુ કહેવાય છે. ધર્મનું લક્ષણ दुर्गतिप्रपतत्प्राणि धारणाध्वर्म उच्यते संयमादिर्दशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥ ११॥ पा. ११७ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને તેમાંથી બચાવી તેઓનું રક્ષણ કરે તેનું નામ ધર્મ છે અને તે સંયમ આદિ દશ પ્રકારનો સર્વજ્ઞનો કહેલો ધર્મ મોક્ષને માટે થાય છે. અહિંસા વ્રતનો સંદર્ભ. आत्मवत् सर्वभूतेषु सुख दुःखे प्रिया प्रिये चिंतयन्नात्मनाऽनिष्टां हिंसामन्यस्यनाचरेत् ॥ २०॥ पा. १२८ જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એમ જાણીને પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ, અર્થાત્ બીજા જીવોને મારવા જોઈએ નહિ. અદત્તાદાન વિશે पतितं विस्मृत नष्टं स्थितं स्थापित माहितम् મત્તે નાતીત સ્વં પરીયં વિન્ સુથીઃ if ૬૬ ા પ. ૨૬૦ પડી ગયેલું ભૂલાઈ ગયેલું, નષ્ટ થયેલું, ઘરમાં રહેલું, સ્થાપન કરેલું અને ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy