________________
આગમમાં ભાખ્યા પ્રમાણે આવતી ચોવીસીમાં શ્રી પજ્ઞનાભ વગેરે જે વીસ તીર્થંકર થશે અને જેઓ કેવલજ્ઞાન પામી જૈન ધર્મને પ્રસાર-ફેલાવે કરશે–તેમને “ દ્રવ્ય જિન” કહેવાય, તેમને હું મનમાં આનંદ ધારણ કરીને પ્રણામ કરું છું. (૪૦)
આ પ્રમાણે ચોવીસીમાં જે ૨૪ તીર્થકરે જ્યારે હશે ત્યારે એ જ ચોવીસ એટલે ચાવીસ જિનેશ્વરની સ્તુતિ હશે. તે રીતે દ્રવ્ય જિન” પણ પૂજનિક છે. વિશેષ જાણવાની ઈચ્છા હોય તે સુગુરુને પૂછીને જાણવું.
(૪૧) આ પ્રમાણે ત્રણ તત્વ (દેવ, ગુરુ, ધર્મ તત્ત્વ) માં પહેલું “દેવ તત્વ” અઢાર દોષ રહિત શ્રી અરિહંત પરમાત્મા છે અને બીજા ગુરુ તત્ત્વ” માં ગુણે કરી સુશોભિત સાધુ ગુરુ કહ્યાં છે. તેઓ પાપ વ્યાપાર રહિત શુદ્ધ ઉપદેશ આપે છે અને તેઓ લેશ એટલે જરા પણ, સાવદ્ય–પાપ કરતા નથી–પાપથી દૂર રહે છે.
(૪૨) તેઓ (ધન, ધાન્ય વગેરે નવ પ્રકારના) પરિગ્રહ તથા આરંભ સમારંભથી દૂર રહે છે, અને પાંચ આચારનું પાલન કરવામાં સાવધચતુર–નિપુણ-શુદ્ધ રહે છે. વળી તેઓ આજ્ઞા અને ક્રિયા શુદ્ધ રીતે પાળે છે તથા (૪૨ દોષ રહિત-૯૬ દોષથી મુક્ત) ગોચરી વહેરે છે– આહાર લે છે.
(૪૩) આ પ્રકારના સુગુરુને બીજું તત્ત્વ-ગુરુ તત્વ” શ્રદ્ધાપૂર્વક જાણીએ છીએ અને અમે તે સદ્દગુરુની આજ્ઞા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. ત્રીજું “ધર્મ તત્વ”—શ્રી જિનેશ્વર પરમાત્માએ કહે જ ધર્મ સાચે છે જે પાળવાથી પાળનારને શિવ-શર્મ એટલે મેક્ષસુખ મળે છે.
(૪૪). શ્રી જિનેશ્વર પ્રરૂપિત ધર્મની આજ્ઞા છે કે સૂકમ કે બાદર કઈ પણ જીવને હણવા નહીં એટલે અહિંસા વ્રતનું પાલન કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org