________________
આ પ્રમાણે અષ્ટ પ્રવચન માતા કહી છે જેમાં જૈન દર્શનને સર્વ સાર સમાય છે-(પાંચ સમિતિ + ત્રણ ગુપ્તિ મુનિના ચારિત્રરૂપ શરીરને જન્મ આપી, નિર્મળ ચરિત્રનું પાલન કરવામાં મદદ કરે છે તેથી ચારિત્રની માતાઓ કહેવાય છે.) આ આઠે આચાર સાધુ-સાધ્વીએ જાવ જીવ પર્યત પાળવા જોઈએ અને તેની ઉપેક્ષા વૃત્તિ થાય તેવી બુદ્ધિને ત્યાગ કરે જોઈએ.
(૨૮) આ અષ્ટ પ્રવચન માતાને શ્રાવક-શ્રાવિકા પણ પૌષધ-સામાયિક કરતી વખતે પાળે. જ્ઞાન વગેરે પાંચે આચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યચારના પાંચે આચાર સાધુ તથા શ્રાવકને સરખાજ હોય છે.
(૨૯) +
+ + ગાથા ૩૦ તથા ૩૧ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫. + +
+ હવે પછી વિશેષ કરીને શ્રાવકના ધર્મમાં રહેલા આચાર તથા અતિચારોને કહેવામાં આવશે (કારણ કે જ્ઞાનાદિક અતિચાર-દોષ સાધુ તથા શ્રાવકને સરખાજ છે તેથી જુદા નથી પાડયા.) હળવા કર્મો જે સમક્તિ તત્ત્વ-સમ્યકત્વ-બોધી બીજ મેળવી શકે છે, અને સમકિત મેળવ્યા પછી જપ, તપ, સંયમ, જ્ઞાન વિજ્ઞાન વગેરે સર્વ સફળ થાય છે.
સમકિત રૂપી રત્ન મેળવીને પ્રયત્નપૂર્વક સારી રીતે તેનું રક્ષણ કરવું કારણ કે તેના પાયથી-સમકિતની મહેબાનીથી મેક્ષસુખ પ્રાપ્ત થાય છે. સમકિત વગર શિવ પદ (મોક્ષ) મેળવવું મુશ્કેલ છે અને જીવ ચારે ગતિમાં ઘણા લાંબા કાળ સુધી ભવ ભ્રમણ કર્યા કરે છે. (૩૩)
અનંતીવાર લાંબા સમય સુધી ચારિત્ર પાળવા છતાં સમકિત વગર આ સંસારનો અંત આવતું નથી, તેથી આ પ્રમાણે જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org