SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર શ્રી ગૌતમ સ્વામિની ભકિત કરવાથી જાણે ચિંતામણી (રત્ન) તથા ઇચ્છિત વસ્તુ આપનાર કલ્પવૃક્ષ હાથ લાગ્યા છે, જાણે કામ-કુંભ (ઈચ્છા પૂરી પાડનાર અક્ષયપાત્ર) આપણને વશ થયે છે, અને જાણે કામ-ઘેનુ (ઈચ્છા પૂરી કરનાર ગાય) આપણું મનની ઈચ્છાઓ પૂરી કરે છે, તથા આઠ મોટી સિદ્ધિઓ ધમ-ધમ કરતી આવે છે તેમ લાગે છે. પદ (પ્રણવ અક્ષર એટલે . માયા બીજ એટલે હી. શ્રીમતી માંથી પહેલો અક્ષર શ્રી.) પહેલે પ્રણવ અક્ષર (8) લે.માયા બીજ એટલે (ડી) કાનથી સાંભળ, અને શ્રી–મતી માંથી શ્રી (શ્રી) લેતાં ત્રણ અક્ષર ( હી શ્રી) શેલારૂપ થાય છે, અને પછી પ્રથમ સુ–દેવ અરિહંત તથા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીને વિનયપૂર્વક આચાર્ય–ઉપાધ્યાયની સ્તુતિ કરીને આ ( હી શ્રી ગૌતમસ્વામિને નમઃ મંત્રથી શ્રી ગૌતમસ્વામિને નમસ્કાર કરે. પ૭ શહેરમાં રહેતાં અથવા દેશ પરદેશ ફરતાં જે કાંઈ કરીએ અથવા જે કઈ વસ્તુ માટે પ્રયત્ન કરતા હોઈએ તે વખતે પ્રભાતમાં ઉઠી, શ્રી ગૌતમસ્વામિનું સમરણ કરવાથી તે બધાં કાર્ય તે જ ક્ષણે સિદ્ધ થાય છે, અને સમરણ કરનારને ઘેર નવ નિધિ હાજર થાય છે. ૫૮ કવિશ્રી ઉદયવંત મુનિએ સંવત ૧૪૧૨ ની સાલમાં શ્રી ગૌતમરવામિના કેવળજ્ઞાનના દિવસે-કારતક સુદ એકમના દિવસે, ( બેસતા વર્ષના દિવસે) આ કાવ્ય જન ઉપકાર માટે રચ્યું છે. પર્વના દિવસે, મહેન્સવના દિવસે, આ રાસ-કાવ્ય પ્રથમ મંગલિક રૂપે બેલાય છે અને તેથી ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ થાય છે. ૫૯ જે માતાએ ગૌતમસ્વામિને ઉદરમાં ધારણ કર્યા તે માતાને ધન્ય છે. જે પિતાના કુળમાં ગૌતમસ્વામિ જમ્યા તે કુળને ધન્ય છે. જે સગુરુએ ગૌતમસ્વામિને દીક્ષિત કર્યા તે (શ્રી વિરપ્રભુને) ધન્ય છે. શ્રી ગૌતમસ્વામિ વિનયવંત, વિદ્યાના ભંડાર હતા. તેમના ગુણ રૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy