________________
૧૬૧
મુનિ શ્રી ઉદયવંત કૃત શ્રી ગૌતમસ્વામિના મેાટા રાસના અ ( પહેલી ઢાળ )
( પડેલી ઢાળમાં ગૌતમસ્વામિના માતા પિતા, ગામ ત તેમના સ્વરૂપનું વર્ણન છે. )
જેમના ચરણ કમળમાં શ્રી લક્ષ્મીદેવી વાસ કરે છે તેવા જિનેશ્વર શ્રી મહાવીરસ્વામિના કમળ જેવા પગમાં પ્રણામ કરીને કવિશ્રી, સાલ નામનુ વૃક્ષ જેમ શ્રેષ્ઠ ગણાય છે તેવા મુનિ શ્રેષ્ઠ સદ્ગુરુ શ્રી ગૌતમસ્વામિના રાસમાં કહે છે : હે ભવ્ય લોક ! મન, તન અને વચન એકાગ્ર કરીને આ રાસ તમે! સાંભળેા જેથી તમારા દેહરૂપી ઘરમાં મઘમઘાયમાન ગુણ્ણાના ભંડારને નિવાસ થાય. ૧
આ પૃથ્વીના પટ ઉપર સુથેભિત જબુદ્વિપમાં શ્રી ભરતક્ષેત્ર આવેલ છે તેમાં મગધદેશમાં દુશ્મનના લશ્કરના ખળનું ખંડન કરનાર શ્રેણિક મહારાજા રાજ્ય કરતા હતા. તે મગધ દેશમાં ધનધાન્યથી ભરપૂર ‘ ગુલ્વર ’ નામનું ગામ હતુ. જ્યાં લેાકેા ગુણવાન હતા. તે ગુબ્બર ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેમને પૃથ્વી નામની પત્ની હતી.
તેમના ( વસુભૂતિ પિતા તથા પૃથ્વી માતાનેા) જગત માંડળમાં પ્રસિદ્ધ એવા ઈન્દ્રભૂતિ નામે પુત્ર હતા. તે ઇન્દ્રભૂતિ વિવિધ પ્રકારની ચૌદ વિદ્યાના પારગામી હતા. તેમનું રૂપ જોઈ ને સ્ત્રીઓ આકર્ષાતી હતી. તેમનામાં વિનય, વિવેક, સારા વિચાર વગેરે મનેાહુર ગુણના સમુહ હતા. તેમનું સુ ંદર–પ્રમાણવાળું શરીર સાત હાથની ઊંચાઈવાળુ હતુ, અને રૂપમાં તે રંભા-પતિ ઇંદ્ર જેવા હતા. ૩
ઈન્દ્રભૂતિની આંખેા, સુખ, હાથ તથા પગ જાણે પાણીમાં કમળ પઢયા હૈાય તેવા કોમળ હતા, અને તેમનું ઝળહળતું તેજ તે જાણે તારા, ચંદ્ર અને સૂર્યને આકાશમાં ભગાઢી મૂકે તેવું હતું. લાક
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org