________________
૧૩૫
તિવિહેણું કહેવાય. મુનિ મહારાજની દરેક ક્રિયા નવ કોટિથી થાય, શ્રાવક દુનિયાદાર હોવાથી છ કેટિથી પ્રતિજ્ઞા લે છે જેમકે સામાયિકમાં દુવિહેં-ન કરેમિ ન કારમિ, તિવિહેણું–મણેણં, વાયાએ, કાણું.
કાર્યોત્સર્ગઃ કાઉસગ્ગ વિષે સ્પષ્ટતા કાઉસ્સગ્ન એક આવશ્યક ક્રિયા છે. નિર્યુકિત, ચૂર્ણિ, બૃહદ્રવૃત્તિ, લઘુવૃત્તિ, દિપીકા, ટિપનક, અવચૂરિ વગેરે ગ્રંથમાં કાઉસગ્નના બે ભેદ બતાવેલા છેઃ (૧) અભિભવ કાઉસગ્ગ (૨) ચેષ્ટા કાઉસગ્ન.
અભિભવ કાઉસગ્નને સમય : જઘન્યથી અંતમુહૂર્ત તથા ઉત્કૃષ્ટથી એક સંવત્સર સમજ.
કમ પરાભવ મટાડવા નિમિત્તે-મુક્ત થવા નિમિત્ત–શ્રી રાષભદેવ પરમાત્માના પુત્ર બાહુબલીજી માફક કાઉસ્સગ કરે તે અભિનવ કાઉસગ્ગ કહેવાય છે.
ચેષ્ટા કાઉસ્સગ્યના ઘણે ભેદ છે.
શ્રી જિન ભવનાધિકારમાં ૨૫ શ્વાસે છૂવાસ પ્રમાણ કાઉસગ્ગ કરવાનું કહ્યું છે. ૪ અથવા ૮ શ્વાસે છુવાસ પ્રમાણને કાઉસગ્ગ કહ્યો નથી, તેથી લોગસ્સને કાઉસ્સગ્ન કર જોઈએ, નવકારને નહીં.
સુજ્ઞ સુવિવેકી તથા ધર્મરુચિ જીવાત્માઓ વિધિપૂર્વક સર્વ પ્રકારની ક્રિયાઓ કરે એ જ મંગળ ભાવના છે.
તપ અપવાસ એ ખોટો શબ્દ છે. અપ એટલે ખરાબ. ખરો શબ્દ ઉપવાસ છે. આત્મા સમીપ વાસ કરે તે. ખરા ઉપવાસ જ્ઞાન સહિત હેય-ખાવાને રાગ છેડવાથી અંતરાત્મામાં આનંદ આનંદ થાય. જ્યારે મન-જીવ આત્મામાં તકલીન થાય ત્યારે સમાધિ સુખને અવર્ણનીય આનંદ મળે છે. ખાવા પીવાનું પણ સાંભળે નહીં. શરીર અને મન સ્વસ્થ હોય તે જ ઉપવાસ તપ લાભદાયક નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org