SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સંલીનતા તપ અંગ તથા ઉપાંગને સંકેચી રાખવાં તથા જુદાજુદા આસન કરી શરીરને જુદી જુદી રીતે સંવરમાં મૂકવું. (૧૩૪) (સંસીનતાના દ્રવ્ય-ભાવ આદિ ઘણું ભેદ છે-એકલઠાણું કરતાં માત્ર હાથ ને મુખ બે જ હલાવવાં, બીજાં અંગ ન હલાવવાં. એક આસન કરી બેસવું. જુદી જુદી રીતે અંગને ન હલાવતાં સંવરઅટકાવ કર, વગેરે.) આ છ ભેદ બાહ્ય તપના જાણવા અને શક્તિ હેય તે આળસ કરવી નહીં. રત્ન જે બાહ્ય તપ પ્રયત્ન પૂર્વક ન કરવાથી જાણે રત્નને કાંકરાની માફક ફેકી દીધે કહેવાય. (૩૫) હવે અત્યંતર તપના છ અતિચાર ગુરુ સાક્ષીએ આવે છે. (૧) પ્રાયશ્ચિત તપઃ માયાશલ્ય, નિદાન અને મિથ્યાત્વ શલ્ય-આ ત્રણ શલ્ય રહિતપણે તપ ન કર્યો. (૨) વિનય તપઃ વડીલેનો વિનય કરવાનું છોડી દીધું. (૧૩૬) (૩) વૈયાવચ્ચ તપ : બાળક, ગ્લાન એટલે રેગી, તથા તપસ્વી સાધુ તણે ખુબ વૈયાવચ્ચ ન કર્યો. (૪) સ્વાધ્યાય તપઃ (અ) વાચન (વાંચી જવું, પાઠ બેલી જવો), (બ) : પૃચ્છના-ફરી. પૂછવું. (ક) પરાવર્તના-પુનરાવર્તન કરી જવું. (ડ) ધર્મ કથા કહેવી-- ધર્મ ચર્ચા કરવી, તથા (ઈ) અનુપ્રેક્ષા કરવી-વિચારણા કરવી. (૧૩૭) ઉપરના પાંચ પ્રકાર સ્વાધ્યાય ત–સક્ઝાય દયાનના ગણાય છે, તે પાંચ ભેદે સ્વાધ્યાય ન કર્યો. (૫) ધ્યાન તપઃ ધ્યાનને રંગ હૃદયમાં ધારણ કર્યો નહીં. (૬) યથાશક્તિ-છતી શક્તિએ કાઉસ્સગ્ન તપ ન. કર્યો. આ પ્રમાણે અતિચાર રહિત તપ ન કરવાથી મનુષ્ય જન્મનું ફળ લીધું નહીં. (૧૩) ગાથા ૧૩૯ તથા ૧૪૦ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫ વિચારના અતિચારઃ વીર્યાચારના મને વીર્ય, વચનવીય તથા કાયવીર્ય એ ત્રણ આચાર છે, તેનું વિપરીત આચરણ કરતાં અતિચાર લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજ્ઞાન પણે લાગ્યા હોય તે હું ગુરુની સાક્ષીએ આવું છું. (૧૪૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy