SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ વિધાન કરી શકે. રાજ્ય બીજી ઘણી ખાતરીએ અને આશ્રય આપી શકે પરંતુ આ ખાતરી કરતાં વ્યક્તિનું આંતરિક જીવન વધુ મુલ્યવાન છે. મેક્ષ ઇહ લેાકનું નથી પરંતુ તેની પ્રાપ્તિ અહીં જ કરવાની છે. આ હેતુ સિદ્ધ કરવા પ્રત્યેક વ્યક્તિએ પહેલાં પાતાના જીવ બચાવવાના છે અને બીજાનાં કલ્યાણ માટે ફાળા આપવાના છે. આ સર્વાદયના સંદેશ છે. મહાવીરના સિદ્ધાંતોની વ્યાપકતાને બીજી સદીમાં સમંતભદ્રે પેાતાના યુત્સ્યનુશાસન નામના ગ્રંથના ૬૧મા શ્લોકમાં આ નામ આપ્યું છે. ઉમાસ્વામીએ સાચું જ કહ્યું છે કે એકબીજાને મદદ કરવી તે પ્રાણીઓનું કર્તવ્ય છે. “પરસ્પરોપગ્નો નીવાનામ્ ”. " આદર્શ જીવનનાં આ તત્ત્વજ્ઞાનના ઉપદેશ જૈન ધર્મે લાંબા સમય પૂર્વે આપ્યો. પણ આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ સદીમાં તેનાં ક્ષેત્ર અને અર્થને સમજાવ્યા છે. દૈનિક જીવનનાં દષ્ટિબિંદુથી આપણે જાણીએ છીએ કે માનવનું અસ્તિત્વ બીજાં માનવ માટે છે જેમનાં સ્મિત અને હિત ઉપર આપણું સુખ આધાર રાખે છે તેમને માટે તેમજ સહાનુભૂતિના બંધથી જેમના ભાગ્ય સાથે આપણે સંકળાએલાં છીએ તેમને માટે જીવવાનું છે. દિવસમાં કેટલીય વાર હું વિચાર કરૂ છું કે મારૂં આંતર અને બાહ્ય જીવન મારાં જીવિત તેમજ મૃત બાંધવાના શ્રમ પર રચાયું છે. મેં જે કાંઈ મેળવ્યું તે પાછું વાળવા માટે ગંભીર પ્રયાસ કરવા જોઈએ”. વૈજ્ઞાનિક રીતે જૈન ધર્મનાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો યુક્તિયુક્ત છે, અને ભવિષ્યમાં હંમેશને માટે યુક્તિયુક્ત જ રહેશે. જૈનાની દૈનિક પ્રાર્થનામાં નીચેના શ્લાકના સમાવેશ કરવામાં આવે છે. આ પ્રાર્થના શાશ્વત માનવમૂલ્ય ધરાવતાં વિશ્વવ્યાપી પ્રેમ અને બંધુત્વનું સતત સ્મરણ કરાવતી રહે છે. सत्त्वेषु मैत्रीं गुणिषु प्रमादं क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्यभावं विपरीतवृत्तौ सदा ममात्मा विदधातु देव ॥ “ હે પ્રભુ ! મને સદા સર્વ પ્રાણીઓ પ્રત્યે સ્નેહ, સદ્ગુણી માણસા પ્રત્યે પ્રેમભર્યો આદર, સંતપ્ત જીવા માટે સહાનુભૂતિ અને સહિષ્ણુતા આપ.” જૈન ધર્મ જે મૈત્રી અને બંધુભાવની સ્થાપના કરવા માંગે છે તે ધર્મ, જ્ઞાતિ, સ્થળના વાડા ઓળંગી જાય છે. શ્રીમતી ઍની બેસ્ટંટના શબ્દોમાં જૈન ધર્મના માનવતાને સંદેશ છે : “માનવ માનવ વચ્ચે શાંતિ, માનવ અને પ્રાણી વચ્ચે શાંતિ, સર્વત્ર સર્વ સ્થળે શાંતિ અને પ્રત્યેક પ્રાણી માટે પૂર્ણ બંધુભાવ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy