SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તે શુભ મનવૃત્તિની પ્રવૃત્તિથી પુણ્ય ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારના ભ્રમ, ક્રોધ અને ધિક્કારમાંથી પાપ ઉદ્ભવે છે. તેઓ શુભ અને અશુભ કર્મોને જન્મ આપે છે. પુણ્ય મનના શુભ વિચારોનું પરિણામ છે જ્યારે પાપ અશુભ વિચારોનું પરિણામ છે. બંને પ્રકારના વિચારો, સ્વભાવે પુદ્ગલ હોવાથી, કર્મનું સ્વરૂપ ધારણ કરે છે. આ કર્મના ફળને પ્રવાહ જીવમાં વહી અને ઇન્દ્રિયો દ્વારા સુખ કે દુ:ખ રૂપે અનુભવાય છે. જીવને આકાર નથી પરંતુ કર્મની સ્નિગ્ધતા કે શુષ્કતાને કારણે જીવને બાંધતાં કર્મદ્રવ્યમાં પાપ અને પુણ્ય સમાઈ જાય છે. આ રીતે શુભ અને અશુભ કર્મોને બંધ શરૂ થાય છે. દરેક પ્રકારનું કર્મ બે જાતનું છે : ભાવકર્મ અને દ્રવ્યકર્મ. પાપ અને પુણ્યકર્મના પણ બે પ્રકારો છે. વિચારપ્રવૃત્તિઓ જ્યારે પ્રેમ, કરુણા અને શુદ્ધિથી ભરેલો હોય છે, ત્યારે પુણ્યકર્મને આસવ શરૂ થાય છે. અહંત, સિધ્ધ, અને સંતો પ્રત્યે જેઓ આદરભાવ અને ભકિતભાવ ધરાવે છે તેમજ જે આચાર્યને માન આપે છે તેમને યોગ્ય પ્રકારને સ્નેહ થશે. તરસ્યાં, ભૂખ્યાં, સંતપ્ત, અને દુઃખીને માટે જે સહાનુભૂતિ ધરાવે છે, તેને દયાળુ કહેવો જોઈએ. આ પ્રકારની વિચારપ્રવૃત્તિઓ પુણ્યમાં પરિણમે છે. ક્રોધ, માન, મેહ અને લેભને કારણે મન અસ્વસ્થ થાય છે અને અશુભ કર્મોનાં કારણે ઉત્પન્ન થાય છે. કપટભરી મુખમુદ્રા ધરાવતા, વિષયાસકત અને પરનિદા કરનારાં મનુષ્યો પાપ કરે છે. વિષયાસકિત, દુઃખી અને શુધ્ધ મનોવૃત્તિ તેમજ દુષ્ટ વલણને કારણે છ પ્રકારની વેશ્યાઓ રચાય છે. પુણ્ય અને પાપના સિધ્ધાંત માન્ય રાખતા બીજા ધર્મોની જેમ, જનધર્મના નીતિનિયમો એવું વિધાન કરે છે કે પોતાના કે બીજાના કલ્યાણને અનુરૂપ વિચાર અને આચાર પુણ્યકારક હોય છે જ્યારે નીતિના નિયમોનું જે ઉલ્લંઘન કરે છે તેમના વિચાર અને આચાર પાપમાં પરિણમે છે. પુણ્યની વ્યાખ્યા એવી આપવામાં આવી છે કે તે જીવને શુધ્ધ કરે છે અથવા જીવની શુધ્ધિ પ્રત્યે ઉન્મુખ છે. સ્વભાવે તે કર્મ (પુગલ) છે. ભૌતિક જગતમાં સુખ અને આનંદમાં પરિણમવાને કારણે, આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેનું તે એક અનુકૂળ સાધન છે. નીતિપરાયણ વિચારો અને આચરણ સમ્યક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy