SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સ્વાભાવિક રીતે જ આઠે ય કર્મોનાં સ્વરૂપમાં ભેદ હોય છે. પરિણામે બંધના પણ વિવિધ પ્રકારો હોઈ શકે. બંધને બીજો પ્રકાર છે સ્થિતિ અથવા પ્રત્યેક કર્મની સમયમર્યાદા. બંધની સમયમર્યાદા કર્મની સમયમર્યાદા જેટલી જ વિસ્તૃત હોવી જોઈએ. બંધની સમયમર્યાદા, તેને દૂર કરવા માટે લાગતા સમય પર આધાર રાખે છે. બંધની સમયમર્યાદા અને તેની ગહનતા કષાયોની ગહનતા પર આધાર રાખે છે. કષાયો જેમ વધુ પ્રબળ, તેમ બંધની સમયમર્યાદા અને ફળ પણ વધારે. અશુભ કર્મોમાં આ પ્રમાણે હોય છે; શુભ કર્મોમાં ફળની ગહનતા ઓછી હોય છે. અશુભ કર્મોની ગહનતા વધુ તેમ તેની વેદના પણ વધુ, ભલે પછી તે અકથ્ય મુદત સુધી સહન કરવાની હોય. આ સમયમર્યાદાને “સાગરોપમ વર્ષની પરિભાષામાં માપવામાં આવે છે. ઓછામાં ઓછી સમયમર્યાદા મુહૂર્તના (૪૮ મિનિટના) એકમની હોઈ શકે. ગહનતાની કક્ષાના ચાર વર્ગો પડે છે. શુભકર્મનાં ફળોની ગહનતા વધુ હોય, તો તેને ઉપભોગ પણ વધારે સમય માટે હોય. બંધના સ્વરૂપનો વિચાર કરતાં અનુભાગને નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. અશુભ કર્મોમાં પરિણામ રૂપ વેદના અને શુભ કર્મોના પરિણામરૂપ ઉપભેગ મૃદુ, વધુ કે ગહન હોઈ શકે, અને તેનો આધાર કર્મને ઉત્પન કરતા કષાયો અને યોગ ઉપર રહે છે. કર્મપ્રવૃત્તિનાં ઊંડાણની કક્ષા પ્રમાણે બંધમાં વૈવિધ્ય આવે છે. અનુભાગ માટેની ધારણા એવી છે કે અનંત સંખ્યામાં તેના અવિભાજ્ય ભાગો પાડી શકાય. આ પ્રત્યેક ભાગનું વધુ વિભાજન શક્ય હેતું નથી. આવો પ્રત્યેક અવિભાજ્ય ભાગ મારિ છેઃ' કહેવાય છે. સમગ્ર કર્મદ્રવ્યનો, ઓછામાં ઓછી ગહનતા ધરાવતો એક અણુ પણ આવા અગણિત પરિચ્છેદોની અગણિત સંખ્યા ધરાવે છે. બંધને એ પ્રકાર તે પ્રદેશ અથવા કર્મોથી ભેદાતા આકાશના અણુઓ. જીવ અને કર્મના સંયોગથી બંધ ઉત્પન્ન થાય છે તેથી આપણે પ્રદેશની વાત કરીએ છીએ. જ્યારે જીવમાં કર્મને અવિરત પ્રવાહ વહેતો હોય છે ત્યારે જીવ દ્રવ્યને આકર્ષે છે અને દ્રવ્ય જીવની જગ્યાને રોકી લે છે. બંધની હદ જીવમાં રકાએલી જગ્યા જેટલી હોવાથી બંધને પ્રદેશબંધ કરવામાં આવે છે. સૃષ્ટિનો અવકાશ કર્યદ્રવ્યથી ભરેલો છે અને જીવ, કષાયની પ્રવૃત્તિથી ખેંચાય એટલી સંખ્યાના અણુઓને જ આકર્ષે છે. આકર્ષાયેલાં દ્રવ્યના પરિણામના આઠ મુખ્ય ભાગ હોઈ શકે કારણ કે કર્મના આઠ પ્રકારો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy